________________
૨૧. કર્મવિપાકચિંતનાષ્ટક
૨૮૭.
કાર્યના અંત સુધી પાછળ પાછળ દોડે છે. (૬)
વિશેષાર્થ : કોઇપણ ઘટના બને તો જૈન ધર્મ પ્રમાણે એમાં પાંચ સમવાય કારણો રહેલાં હોય છે. જગતમાં કાર્ય-કારણ અથવા કારણ-કાર્ય પરંપરા હંમેશાં ચાલતી રહે છે. કારણ વગર કોઈ કાર્ય થતું નથી. પ્રત્યેક કાર્ય પાછળ કોઈક કારણ હોય જ છે. કારણ કદાચ આપણને પ્રત્યક્ષ દેખાય કે ન દેખાય.
આ પાંચ સમવાય કારણો છે : (૧) કાળ, (૨) સ્વભાવ, (૩) નિયતિ અથવા ભવિતવ્યતા, (૪) કર્મ અને (૫) પુરુષાર્થ. આ પાંચ કારણો સાથે જ હોય. એક પણ કારણ ઓછું હોય તો કાર્ય ન થાય. આ પાંચ કારણોમાં સૌથી બળવાન કારણ હોય તો તે કર્મ છે. તે કાર્ય પૂરું થાય ત્યાં સુધી, છેવટ સુધી સાથે ને સાથે આવે છે.
જ્યાં સુધી કર્મ સક્રિય બનતું નથી ત્યાં સુધી બીજી બધી સામગ્રી એમ ને એમ પડી રહે છે, જાણે થાકી ગઈ ન હોય ! પરંતુ કર્મ સક્રિય થાય તો બીજી બધી સામગ્રી પણ સક્રિય થઈ જાય છે. કર્મનો વિપાક અથવા કર્મનો ઉદય એ છેલ્લું કારણ છે. એ કાર્યના અંત સુધી પ્રવર્તે છે. અન્ય કારણો પોતપોતાનું કાર્ય કરે છે, પણ તેમાં એટલું બળ હોતું નથી. આમ કર્મ બળવાન છે, માટે મુનિએ કર્મનો ક્ષય કરવા પ્રવૃત્ત રહેવું જોઇએ. કર્મનો ક્ષય થતાં બીજાં કારણો પોતાની મેળે ચાલ્યાં જાય છે. એમને દૂર કરવા માટે જુદો પુરુષાર્થ કરવાની જરૂર નથી રહેતી.
વળી, કર્મોનો ક્ષય કરવા માટે અનુકૂળતા કર્મો જ કરી આપે છે. કર્મનો ક્ષય કરવાની, રત્નત્રયીની, મોક્ષપ્રાપ્તિની સમજ તેવા પ્રકારનાં શુભ કર્મો દ્વારા જ પ્રાપ્ત થાય છે. મનુષ્ય ભવ, આર્ય જાતિ, સારું કુળ, ઇન્દ્રિયોની પરિપૂર્ણતા, સદ્ગુરુનો યોગ, સુદેવ-સુગુરુ-સુધર્મની સમજ ઇત્યાદિ જે પ્રાપ્ત થાય છે તે તેવા પ્રકારનાં કર્મોના ઉદયથી પ્રાપ્ત થાય છે. એટલા માટે મુનિએ કર્મવિપાકનું અનુચિંતન કરવું જોઇએ. [૧૬] સાવરમાવર્તે થઈ રતિ પત: I
चरमावर्तिसाधोस्तु छलमन्विष्य हृष्यति ।।२१।।७।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org