________________
૨૮૮
જ્ઞાનસાર
[શબ્દાર્થ : સૌ=(કર્મવિપાક); ગરમાવર્તે છેલ્લા સિવાયના આવર્તમાં (પુદ્ગલપરાવર્તમાં); ધર્મ=ધર્મને; દરતિ=રે છે; પરત:=દેખતાં છતાં, જાણવા છતાં વમવર્તસોડુ ચરમ પુદ્ગલપરાવર્તમાં વર્તતા સાધુના પણ; છતંત્રછિદ્રને; વિષ્ય શોધીને; ઢષ્યતિ હર્ષ પામે છે.].
અનુવાદઃ આ (કર્મવિપાક) અચરમાવર્ત કાળમાં (છેલ્લાની પહેલાંના પુદ્ગલ પરાવર્તમાં) દેખતાં છતાં ધર્મને હરે છે, પરંતુ શરમાવર્તી સાધુના છિદ્રને શોધીને હર્ષ પામે છે. (૭)
વિશેષાર્થ કર્મનો સ્વભાવ અને કર્મની પ્રવૃત્તિ વિશે, કર્મવિપાક વિશે અહીં એક વિરાટ, મૌલિક કલ્પના કરવામાં આવી છે. એ માટે ચરમાવર્ત કાળ અને અચરમાવર્ત કાળને વિષય કરવામાં આવ્યા છે.
મનુષ્ય વર્તમાનમાં જીવે છે. એને પોતાનો ભૂતકાળ યથાશક્ય યાદ રહે છે. એમાં એને કલ્પના ચલાવવી પડતી નથી. પણ પોતાના દાદા, બાપદાદાના વખતને એ કલ્પના, અનુમાન વગેરેથી સમજી શકે છે. બે પાંચ હજાર વર્ષની વાતો પણ કલ્પના ઈત્યાદિ વડે એ નજર સમક્ષ લાવી શકે છે. પરંતુ કાળ અનંત છે. વર્તમાન ક્ષણરૂપ છે, પણ ભૂતકાળ અને ભવિષ્યકાળ અનંત છે. લાખો, કરોડો, અબજો વર્ષ કશા હિસાબમાં નથી. કોઇપણ જીવ જન્મ, જીવે અને મૃત્યુ પામે એ દરમિયાન જે ક્ષેત્રનાં, જે કાળનાં પુદ્ગલ પરમાણુઓને એ સ્પર્શતો જાય તે પુગલપરાવર્ત કહેવાય. એમાં પણ ક્રમથી અને વ્યુત્ક્રમથી એવા ભેદ છે. બીજા પણ કેટલાક ભેદો છે. મતલબ કે એક જીવ ચૌદ રાજલોકમાં બધા પુદ્ગલ પરમાણુઓને સ્પર્શી લે તે એક પુદ્ગલપરાવર્તન કહીએ, તો એમાં અનંતકાલ ચાલ્યો જાય. એવાં અનંત પુદ્ગલ પરાવર્તન કરતો જીવ એકેન્દ્રિયમાંથી સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય ભવ સુધી પહોંચે છે. મનુષ્ય ભવની પ્રાપ્તિ પછી કેટલાયે જીવો પાછા દુર્ગતિમાં જાય છે. હવે જે જીવ મોક્ષે જવાનો હોય તે પુદ્ગલ પરાવર્તન એનું છેલ્લું પુગલ પરાવર્તન કહેવાય. એને ચરમ (છેલ્લું) આવર્ત કહે છે. એમાં આવેલા જીવને અપુનબંધક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org