SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧. કર્મવિપાકચિંતનાષ્ટક ૨૮૯ કહેવામાં આવે છે. જીવને એક વખત સમ્યગુદર્શન થાય, એની દિશા મોક્ષમાર્ગ પ્રતિ ફેરવાય તયારે જીવનો મોક્ષગતિ પામવા માટે વધુમાં વધુ અર્ધ પુદ્ગલપરાવર્તન જેટલો કાળ રહે છે. ચરમાવર્ત પહેલાંના પુદ્ગલ પરાવર્તનોમાં તો જીવ કર્માનુસાર આમથી તેમ ઘસડાતો, ભટકતો રહે છે. કર્મ આગળ એનું કશું ચાલતું નથી. કર્મવિપાક જીવ, દેખતો છતાં એના ધર્મને હરી લે છે. કર્મ આત્માને એનો ધર્મ સમજવા દેતો નથી. પોતાની જાતને કર્મનાં બંધનોમાંથી છોડાવવાની છે એટલી સમજ પણ ત્યારે જીવમાં હોતી નથી. એટલે કર્મસત્તા જાહેરમાં જીવો સાથે એમની નજર સામે જ બેરોકટોક પોતાનું કાર્ય કરે છે. પરંતુ ચરમાવર્તિમાં આવેલા જીવોમાં હવે ધર્મનો અભ્યદય થવા લાગે છે. ધર્મની કંઈક સમજણ આવવા લાગે છે. પોતાનું શરીર અનિત્ય છે અને આત્મા અમર છે એવો વિશ્વાસ બેસે છે. હવે જીવો માર્ગાનુસારી બને છે. સમકિતી જીવો તો અર્ધપગલપરાવર્તમાં આવી જાય છે. હવે કર્મસત્તા આવા સમકિતી જીવો આગળ બેધડક પોતાનું કાર્ય કરી શકતી નથી. કર્મસત્તા એ જીવોમાં ચૂપચાપ પ્રવેશવા માટે છિદ્રો શોધવા લાગે છે. સાધક મુનિની આસપાસ તે આંટા મારે છે. કોઈ સાધુથી જરા સરખો પ્રમાદ થયો તો એ તક ઝડપીને કોઈક કર્મ દાખલ થઈ જાય છે. એકને દાખલ થવા મળે એટલે એ હર્ષમાં આવી જાય છે. પછી બધા અનર્થો ચાલુ થાય છે. કહ્યું છે કે છિકે મન વીમતિ | છિદ્રોમાં અનર્થો ઘણા થાય છે. એટલા માટે ક્યારેય પ્રમાદ સેવવો ન જોઇએ. એમાં પણ સાધુઓએ તો વિશેષ જાગૃત રહેવાની જરૂર છે. પ્રમાદ પાંચ પ્રકારના કહ્યા છેઃ નિદ્રા, વિષય, કષાય, વિકથા અને મદ્યપાન. ગૃહસ્થ જીવનમાં તો ડગલે ને પગલે પ્રમાદ છે. પરંતુ સાધુએ પોતાનું જીવન પ્રમાદરહિત બનાવવાનું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy