________________
૨૯૦
જ્ઞાનસાર
[૧૬] સાળં વિભક્તિ ય: કવિપતિ વિન્ડયન
स एव स्याच्चिदानन्दमकरन्दमधुव्रतः ।।२१।।८।। [શબ્દાર્થઃ સાચં સામ્ય, સમભાવ; વિમર્તિ=ધારણ કરે છે; =જે; કર્મવિપાત્ર કર્મના વિપાકને; ઢવિ હૃદયમાં; વિન્ડય=ચિંતવતો; સ અવ=તે જ; સ્થા—થાય છે; વિવાનન્દ ચિદાનંદરૂપ, જ્ઞાનાનંદરૂપ; મરત્વમધુવ્રત:=મકરંદ (પુષ્પરસ)નો ભ્રમર બને છે.]
અનુવાદઃ જે હૃદયમાં કર્મના વિપાકનું ચિંતન કરતાં સમતાને ધારણ કરે છે તે જ જ્ઞાનાનંદરૂપ મકરંદનો ભ્રમર (રસશ) થાય છે. (૮)
વિશેષાર્થ ઉપાધ્યાયજી મહારાજે મુનિઓને કર્મવિપાકનું અનુચિંતન વારંવાર કરવાનું કહ્યું છે. એથી ચિત્તમાં સંસાર પ્રત્યે, વ્યક્તિઓ અને પદાર્થ પ્રત્યે સમભાવ રહે છે. કોઈક મહાત્માએ કહ્યું છે કે એક ફક્ત કર્મના સિદ્ધાન્તનું, કર્મના વિષયનું ચિંતન વારંવાર કોઈ વ્યક્તિ કરે તો તેને અવશ્ય સમકિત પ્રાપ્ત થાય અને જો સમકિત હોય તો તે વધુ નિર્મળ થાય.
એક વખત કર્મ વિપાકનું યથાર્થ ચિંતન ચાલુ થાય પછી કોઈને દોષ દેવાનું મન નહિ થાય. સંસારમાં જે કંઈ સારીમાઠી ઘટનાઓ બને છે તે એ જીવોના કર્મના ઉદય અનુસાર બને છે એવો ભાવ હૃદયમાં દૃઢ થતો જાય છે. આ સમજણ આવે પછી કોઈનો વાંક જોવાને બદલે જીવો પ્રત્યે સહાનુભૂતિ થાય છે, સમભાવ રહે છે.
વળી, પોતાના જીવનમાં અપ્રિય, આઘાતજનક લાગે એવી ઘટના કદાચ જો બની તો તેવે વખતે પણ તેને સમભાવપૂર્વક જીરવવાનું સામર્થ્ય પ્રગટ થાય છે. માણસે ઉદયમાં આવેલાં અશુભ કર્મો સમતાપૂર્વક સહન કરી લેવાં જોઈએ એવી શિખામણ બીજાને આપવી સહેલી છે, પણ પોતાના જીવનમાં ભારે અશાતાવેદનીય કર્મનો ઉદય થાય ત્યારે સમતા રાખવી એ ઘણી અઘરી વાત છે. મોટા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org