________________
૨૧. કર્મવિપાકચિંતનાષ્ટક
૨ ૯૧
મુનિ મહાત્માઓ આવે વખતે બરાબર સમતા ધારણ કરે છે, આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે, અશાતા સહન કરી લે છે અને કોઈને દોષ દેતા નથી. સૌથી વધુ કસોટી તો મારણાન્તિક ઉપસર્ગો વખતે થાય છે. એવે વખતે મેતારજ મુનિ, ગજસુકુમાલ મુનિ વગેરેએ, કોઈને અંશ માત્ર દોષ ન દેતાં ઉપસર્ગો કેવી સમતાપૂર્વક સહન કરી લીધા હતા !
જે મુનિઓ કર્મવિપાકના ચિંતન દ્વારા સમભાવમાં રહે છે તેઓ આત્મસ્વરૂપમાં સ્થિર થઈ શકે છે. પરિણામે તેઓ સચ્ચિદાનંદ અનુભવી શકે છે. તેઓ સચ્ચિદાનંદરૂપી મધુના ઉપભોગ કરનાર જ્ઞાની-ભ્રમર બની શકે છે.
આમ, કર્મના સ્વરૂપનું સતત ચિંતન-અનુચિંતન વ્યક્તિને કેવી ઊંચી ભૂમિકા સુધી લઈ જઈ શકે છે તે ગ્રંથકારશ્રીએ અહીં દર્શાવ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org