SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ જ્ઞાનસાર [૧૯૫] કાઢી: પ્રથમ કૃત્તિનોfપ ર ા भ्राम्यन्तेऽनन्तसंसारमहो दुष्टेन कर्मणा ।।२१।।५।। [શબ્દાર્થ ઃ મારુદ્ધ =ચઢેલા; પ્રશમMિ=ઉપશમ શ્રેણિ ઉપર, કૃતવેતનઃ= શ્રુતકેવલી, ચૌદ પૂર્વધ૨; [=પણ; =અને; ગ્રામ્યન્ત=ભમાડાય છે; મનન્તસંસાર અનંત સંસાર; અહો આશ્ચર્ય છે; કુટેન-દુષ્ટ; ર્મા કર્મ વડે.. અનુવાદઃ ઉપશમ શ્રેણિ પર ચડેલા અને શ્રુતકેવલીને પણ દુષ્ટ કર્મ, અહો, અનંત સંસાર ભાડે છે. (૫) વિશેષાર્થ કર્મની સત્તા કેટલી બળવાન છે તે વિશે ઉપાધ્યાયજી મહારાજ એક સચોટ વિધાન કરે છે. તરત માન્યામાં ન આવે એવી વાત છે. તેઓ કહે છે કે શ્રુત-કેવલી ભગવંતને પણ અનંત સંસારમાં ભમવાનો વખત આવી શકે છે. તેઓ નિગોદમાં પણ જાય એવો સંભવ હોઈ શકે છે. આપણને પ્રશ્ન થાય કે આવું તે કઈ રીતે બની શકે ? ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે શ્રુતકેવલી ભગવંત સાતમ-આઠમે-નવમે અને દસમે ગુણસ્થાનકે પહોંચે, પરંતુ સત્તામાં હજુ જો મોહનીય કર્મ હોય અને તેઓ ઉપશમશ્રેણી માંડે તો અગિયારમે ગુણસ્થાનકે જઈ, ત્યાંથી પડી ઠેઠ પહેલે ગુણસ્થાનકે પણ આવી શકે છે. આવું ક્યારેક જ બને, પણ બની શકે ખરું. શ્રી દેવચંદ્રજી મહારાજે જ્ઞાનમંજરી ટીકામાં “આવશ્યક નિર્યુક્તિ'ની ગાથાઓ (ગાથા ૧૧૮-૧૨૦) નીચે પ્રમાણે ટાંકી છેઃ उवसामं उवणीया गुणमहया जिणचरित्तसरिसं पि। पडिवायंति कसाया किं पुण सेसं सरागत्थे ॥ [ગુણો વડે મહાન એવા ઉપશમ ચારિત્રવાળાએ ઉપશાન્ત ભાવને પમાડેલા કષાયો, જિન સરખા ચારિત્રવાળાને પણ નીચે પાડે છે, તો પછી બાકીના સરાગી જીવો માટે તો શું કહેવું ?]. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy