________________
૩. સ્થિરતાષ્ટક
નથી. દ્રવ્યક્રિયાની સાથે સ્થિરતાપૂર્વકનો ભાવધર્મ જોડાયેલો હોવો જોઈએ.
હવે એવું બને કે આરંભદશાના કોઈ સાધકમાં ચિત્તની એટલી સ્થિરતા ન આવી હોય, પરંતુ બાહ્ય દ્રવ્યક્રિયા તેઓ બરાબર કરતા હોય. તો એવા કેટલાક સાધકને દ્રવ્યક્રિયા ૫રં૫રાએ શુદ્ધ ભાવધર્મના બાહ્ય શુદ્ધ હેતુરૂપ થઈ શકે, કારણ કે આરંભકાળમાં બાહ્ય ક્રિયાઓ ચિત્તને શુદ્ધ કરે છે. પછી શુદ્ધ ચિત્ત ક્રિયાઓની શુદ્ધિવૃદ્ધિ કરે છે.
દેવગતિનાં સુખોની આશાથી કરાતી કે લોકોની વાહવાહ માટે લોકસંજ્ઞાના હેતુથી કરાતી કપટયુક્ત બાહ્ય ધર્મક્રિયાઓ છોડી દઈને સાધકે સ્થિરતા પ્રાપ્ત ક૨વી જોઈએ કે જે પોતાનું કલ્યાણ કરે. જે સાધકો ઊંચા સ્થાને હોય અને જેમને અનુસરનારા અનુયાયીનો વર્ગ બહોળો હોય તેઓએ તો પોતાના મનના ખૂણામાં ગુપ્ત રીતે પડેલી પૌદ્ગલિક સુખોની આસક્તિને, વાસનાઓને, પરભાવમાં રમવાની વૃત્તિઓને વહેલી તકે તિલાંજલિ આપવી ઘટે, અન્યથા અનેકને ઉન્માર્ગે લઈ જવાનો તેમના ૫૨ દોષ આવે.
',
[૨૦] અન્તર્યાત મહાશત્યમથૈર્ય વિ નોધૃતમ્ ।
क्रियौषधस्य को दोषस्तदा गुणमयच्छतः ।। ३ ॥ ४ ॥
૩૯
[શબ્દાર્થ: મન્તfi=અંદર (હ્રદયમાં) રહેલું; મહાશi=મોટું શલ્ય; થૈર્ય=અસ્થિરતા; ય=િજો; ન=નથી; ધૃતં=બહાર કાઢેલું; યિૌષધમ્ય=ક્રિયારૂપી ઔષધનો; જો=શો; રોષ:=દોષ; તવ=તો; ગુ=ગુણ, લાભ, ફાયદો; અયઋત:=નહિ આપના૨, નહિ કરનાર.]
અનુવાદ–જો હ્રદયમાં રહેલી મહાશલ્ય જેવી અસ્થિરતાને બહાર કાઢી નાખી ન હોય તો પછી ધર્મક્રિયારૂપી ઔષધિ ગુણ ન કરે એમાં એનો (ક્રિયાનો) શો દોષ ? (૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org