________________
३८
સ્ત્રીને વેશ્યા કહેવામાં આવે છે. કેટલાક દંભી મનુષ્યોનું ચિત્ત એક વિષય પરથી બીજા એક જ વિષય પર કૂદતું નથી, તે તો એક સાથે સતત ચારપાંચ કે વધુ વિષયો પર કૂદાકૂદ કરતું હોય છે. એમની ચંચળતા પેલી પુંચલા સ્ત્રી જેવી હોય છે.
જ્ઞાનસાર
પરંતુ પુથલા શું કરે છે ? તે તો પોતાની ચંચળતા પકડાઈ ન જાય એટલા માટે એના પતિની સાથે મીઠા શબ્દો બોલી, માથું, હાથપગ દબાવી આપી એવો બાહ્ય વ્યવહાર કરે છે કે જેથી જોનાર તો એને ઊંચી જાતની સતી સ્ત્રી માને છે. આમ નજરે પડે એવું બાહ્ય આચરણ જુદું અને અંદરની ગુપ્ત વૃત્તિ અને પ્રવૃત્તિ જુદી. બાહ્ય દૃષ્ટિએ એની આંખો ઢળેલી, લજ્જામય, એની વાણી વિનયનો દંભ કરનારી, એના હાવભાવ પણ એવા જ સારા, મતલબ કે નેત્ર, વાણી અને કાયાના હાવભાવને એવી રીતે ગોપવે છે કે કોઈને એના ચારિત્રની શંકા ન આવે. કોઈ એને કુલટા માને નહિ.
સાધનાના ક્ષેત્રમાં આવ્યા પછી પણ કેટલાક માણસોને પૌદ્ગલિક સુખમાં બહુ રસ પડે છે, એની ઝંખના રહે છે, રાગદ્વેષના અને વિષયકષાયોના અનેક વિકલ્પો એમના ચિત્તમાં રમતા રહે છે, પણ તેઓ બહારથી નેત્ર, વાણી અને કાયા દ્વારા પોતે એ વાતને ગોપવે છે અને પોતે ઊંચી જાતના સારા સાધક છે એવો દેખાવ કરે છે. ઉદાહરણ તરીકે મનમાં કામવાસના ભરેલી પડી હોય, પણ મૌન ધારણ કરે, ચાલે ત્યારે એવી નીચી નજરે ચાલે અને લોકોમાં એવો ભ્રમ ઊભો કરે કે એ મહાત્મા તો સ્ત્રીની સામે નજર સુદ્ધાં નથી કરતા. પોતે મનભાવતાં ભાતભાતનાં સ્વાદિષ્ટ ભોજન કરે અને દેખાવ એવો કરે કે પોતે માત્ર લૂખો રોટલો અને છાશ જ ખાય છે. એક દિવસ આયંબિલ કર્યું હોય તો પોતાની વાતને એવી ગજવી મૂકે છે કે જાણે તેઓ કેટલીયે વા૨ આયંબિલ ક૨ે છે.
સાધક પોતાના અંતરમાં સ્થિરતા લાવ્યા વિના કપટરૂપે જે કંઈ ધર્મક્રિયા કરે તો તે એને માટે કલ્યાણકારી થતી નથી. ભાવધર્મ વગરની દ્રવ્યક્રિયા બહુ હિતકારી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org