________________
૩. સ્થિરતાષ્ટક
લોલુપતા, ઇચ્છા, મૂછ, આકાંક્ષા, અપેક્ષા, તૃષ્ણા, ગૃદ્ધિ, વાસના ઇત્યાદિ બધા લોભના જ પર્યાયો છે, સ્વરૂપો છે. આવા લોભથી આત્મસ્વરૂપમાં રમણતા કરવામાં અસ્થિરતા આવી જાય છે. લોભજન્ય વિકલ્પો નિર્મળ જ્ઞાનને ડહોળી નાખે છે. સંવલનના પ્રકારનો અતિસૂક્ષ્મ લોભકષાય ઊંચે ચડેલા મોટા મહાત્માઓને પણ દુર્ગતિમાં ધકેલી દે છે. માટે તે જીવ ! આ બધું સમજીને તું અસ્થિરતાનો ત્યાગ કરી સ્થિરતામાં દઢ થા! [૧૯] સ્થિરે યે ત્રિા વીત્રારોપના !
પૃથ્રત્યા રૂવ ત્યાગવારિણી પ્રકીર્તિતા ! રૂ / રૂ I શબ્દાર્થ અસ્થિરે હૃ=હ્રદય (ચિત્ત) અસ્થિર હોય ત્યારે, ચિત્રા=વિચિત્ર, સુંદર, વિવિધ પ્રકાર, વાત્રી વાણી, નેત્ર અને આકાર; ગોપના ગોપન કરવું, છૂપાવવું; jશ્ચા :કપં શ્વલી, ફુલટા, અસતી સ્ત્રીની; રૂ=જેમ;
ત્યાણારી કલ્યાણ કરનારી; ન=નથી; કીર્તિતા કહેલી.] અનુવાદ-ચિત્ત અસ્થિર હોય તો વિચિત્ર વાણી, નેત્ર આકાર (વેષાદિક)ને ગોપન કરવારૂપ ક્રિયા, કુલટા સ્ત્રીની જેમ, કલ્યાણકારી કહી નથી. (૩) વિશેષાર્થ અસ્થિરતા કેવી હોય છે એ ઉપમા આપીને સમજાવ્યા પછી સ્થિરતાનો મહિમા અહીં દર્શાવવામાં આવ્યો છે.
અસ્થિરતા એટલે ચંચળતા અર્થાત્ એક છોડીને બીજા પર જવું અને ત્યાં સ્થિર ન રહેતાં ત્રીજા પર જવું અને એમ કરતાં રહેવું. અસતી સ્ત્રી ચંચળ હોય છે. તેને એક પુરુષ સાથે સ્થિર રહેવું ગમતું નથી. તે બીજા પુરુષને સેવવા લાગે છે. સંસ્કૃતમાં ફક્ત બે પુરુષને સેવનારી, ત્રણ પુરુષને સેવનારી એમ ચાર, પાંચ પુરુષને સેવનારી સ્ત્રી માટે જુદા જુદા શબ્દો છે. એમાં પાંચ પુરુષને સેવનારી સ્ત્રીને માટે પુંશલ્યા અથવા પુલી શબ્દ વપરાય છે. એથી વધારે પુરુષને સેવનારી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org