________________
૩૬
જ્ઞાનસાર
સ્થિર =સ્થિર, સ્થિરતાવાળો ભવ થા.]
અનુવાદ-જ્ઞાનરૂપી દૂધ અસ્થિરતારૂપી ખાટા પદાર્થથી લોભના વિકારરૂપ કૂચા થવા વડે નાશ પામે છે, એમ જાણીને સ્થિર થા! (૨)
વિશેષાર્થ અસ્થિરતા સાધકને કેવી રીતે સાધનાભ્રષ્ટ કરે છે તે સમજાવવા માટે અહીં બીજું એક રૂપક પ્રયોજાયું છે.
જ્ઞાન એ દૂધ છે અને અસ્થિરતા એ ખાટો પદાર્થ છે. દૂધ ગમે તેટલી સારી ગુણવત્તાવાળું હોય અને ઘણાં મોટા પાત્રમાં ભરેલું હોય, પરંતુ એમાં ખટાશનું એક ટીપું પડે તો એ બધા દૂધને ફાડી નાખે છે. દૂધ ફોદા ફોદા થઈ જાય છે. ખટાશમાં કેટલી બધી શક્તિ છે કે આટલા મોટા દૂધના જથ્થાને તે નિરર્થક કૂચા કૂચા કરી નાખે છે ! એવી રીતે લોભરૂપી વિક્ષોભ અર્થાત્ અસ્થિરતારૂપી ખટાશ જ્ઞાનરૂપી દૂધના વિશાળ જથ્થાને નિરર્થક કરી નાખે છે.
તાકાતની દૃષ્ટિએ કોણ ચડે ? જ્ઞાન કે ચંચળતા ? દેખીતું જ છે કે જ્ઞાનમાં બહુ મોટી શક્તિ રહેલી છે, પરંતુ ઉપદ્રવ કરવાની અસ્થિરતાની શક્તિ પણ ઓછી નથી. સમર્થ જ્ઞાની મહાત્માઓનું સાચું જ્ઞાન અસ્થિરતાને, ચંચળતાને પોતાની પાસે આવવા દેતું નથી. તેઓ એને બરાબર ઓળખે છે.
જ્ઞાન એ આત્માનો ગુણ છે અથવા આત્મા જ્ઞાનસ્વરૂપ છે. સમ્યગૂજ્ઞાની મહાત્માઓ શ્વાસોચ્છવાસમાં પોતાનાં કર્મનો ક્ષય કરી શકે છે, જે કર્મોનો ક્ષય કરતાં અજ્ઞાનીને કરાડો વર્ષ લાગે. આત્મજ્ઞાન માટે પુરુષાર્થ કરતા સાધકનું ચિત્ત જો બાહ્ય મોહક પદાર્થોમાં લપટાઈ જાય, તેનું ચર્ચાળ ચિત્ત પરભાવને વશ થઈ જાય તો તે ઘણું બધું ગુમાવી દે છે. એની જ્ઞાનસાધના સ્થગિત થઈ જાય છે. ધર્મક્રિયા, સ્વાધ્યાય, ધ્યાન ઇત્યાદિમાં એનું ચિત્ત ચોટતું નથી. સ્વભાવરમણતાને બદલે પીગલિક પદાર્થોની મોહકતા, અનુકૂળતા, યશ, ધન, પ્રતિષ્ઠા, સત્તા ઇત્યાદિનો સંસારમાં મહિમા જોઈને એ મેળવવા એનું મન જ્યારે પ્રલોભાય છે, ત્યારે લોભ કષાય બળવાન બને છે અને ચિત્તને ડગાવી દે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org