SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. સ્થિરતાષ્ટક જ્યાં શાશ્વત સુખ નથી ત્યાં જીવ સુખની શોધ માટે દોડે છે. ભૌતિક પદાર્થોમાં કાયમને માટે પૂર્ણ સુખ આપવાની શક્તિ નથી. ભૌતિક પદાર્થનો ભોગવટો તત્કાલ ગમે છે, પણ એ ગમવાનો ભાવ સ્થૂલ છે અને તે વધુ ટકતો નથી. બાહ્ય પદાર્થો દરેક જીવને પોતાની ઇચ્છા પ્રમાણે મળતા નથી અને કોઈકને મળે છે તો તે પૂર્ણ હોતા નથી. એથી કોઈને કાયમનો સંતોષ થતો નથી. એટલે જીવને બીજા બીજા પદાર્થોની ઇચ્છા થાય છે. આમ વિષયો-પદાર્થોના સ્થૂલ ભોગવટાનું અને એ માટે ભટકવાનું ચંચળ ચક્ર ચાલ્યા જ કરે છે. એટલા માટે ગુરુ મહારાજ કહે છે કે ભાઈ ! જે સુખ તું બહાર શોધે છે એ તારા પોતાનામાં જ છે. તારા અંતરંગ ગુણોમાં, આત્મસ્વરૂપમાં તું સ્થિર થઈ જા. તને ત્યાં સુખનો નિધિ, સુખનો ભંડાર મળશે. પછી તારે બીજે જવું નહિ પડે. આ ખજાનો અક્ષય છે. અંધારી જગ્યામાં ખોવાયેલી વસ્તુ પ્રકાશવાળી જગ્યામાં શોધવાનો વૃથા પ્રયત્ન કરનારી પેલી ડોસીની જેમ તું વૃથા પ્રયત્ન ન કર. તું યોગ્ય સ્થળે જ સ્વગુણોની સંપત્તિના ખજાનાની શોધ કર. એ માટે તું જ્ઞાન, દર્શન, ચારિત્રની એકતારૂપ સ્થિરતા માટે પુરુષાર્થ કર. હે વત્સ ! તું ચિત્તની તારી અસ્થિરતાને કારણે જ કષ્ટ પામતો રહ્યો છે. મહાન પુણ્યોદયે તને હવે મનુષ્યભવ પ્રાપ્ત થયો છે. આ અવસરને સાધી લઈને તું ચંચળતાનો ત્યાગ કરી, સ્થિરતાને ભજી, મનુષ્યભવને સફળ બનાવી લે. તારા પોતાનામાં રહેલા આત્મિક ગુણોના ભંડારને પ્રાપ્ત કરી લે. [૧૮] જ્ઞાનવુĖ વિનયેત નોવિક્ષોમવંત:। अम्लद्रव्यादिवास्थैर्यादिति मत्वा स्थिरो भव ।। ३ ।। २ ।। Jain Education International [શબ્દાર્થ: જ્ઞાનવુÜ=જ્ઞાનરૂપી દૂધ; વિનયેત=વિનાશ પામે, બગડી જાય; તોમવિક્ષોમ=લોભના વિકારરૂપ; ર્વ =કૂચા વડે; અન્ત=ખાટા; દ્રવ્યાત્ =પદાર્થથી; વ=જેમ; અથૈર્થાત્ અસ્થિરતાથી; કૃતિ=એમ; મત્વ=માનીને; : ૩૫ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy