________________
૩૪
જ્ઞાનસાર
૩. સ્થિરતાષ્ટક [૧૭] વ! વં ચશ્વત્નસ્વાના બ્રાન્ડ્રા બ્રાન્ડ્રા વિષત્તિ
નિધિ સ્વસન્નિશાવેવ સ્થિરતા વયિષ્યતિ | રૂ . ૨ | શબ્દાર્થ: વહે વત્સ !; =િકેમ; વંવદ્વાન્ત =ચંચળ અંતઃકરણવાળો; બ્રાન્વી બ્રાન્ધીભમી ભમીને; વિડીય=ખેદ પામે છે; નિધિ=નિધાન, ખજાનો, ભંડાર; સ્વાંનિધી=પોતાની પાસે; =જ; સ્થિરતા સ્થિરતા; વયિષ્યતિ–બતાવશે.]
અનુવાદ-હે વત્સ ! ચંચળ ચિત્તવાળો થઇને, ભટકી ભટકીને તું ખેદ કેમ પામે છે ? સ્થિરતા તારી પાસે જ રહેલા ખજાનાને બતાવશે. (૧) | વિશેષાર્થ : સ્થિરતા વિશેના આ અષ્ટકનો આરંભ ગ્રંથકારશ્રીએ સાધકને “વત્સ શબ્દના સંબોધનથી કર્યો છે. ગુરુ મહારાજ વાત્સલ્ય અને કરુણાના ભાવથી પોતાના શિષ્યને “વત્સ” કહીને સંબોધે છે. તેઓ તેને કહે છે કે “હે વત્સ! તું ચંચળ ચિત્તવાળો બનીને કેમ અહીં તહીં ભટકી રહ્યો છે? ભટકી ભટકીને તું દુઃખી થઈ રહ્યો છે. તને થાક અને ખેદ લાગ્યો છે. માટે તું હવે સ્થિર થા !”
ચિત્તની સ્થિરતા વિના આધ્યાત્મિક શાન્તિ નથી. જીવ ચૌદ રાજલોકમાં અને ચોર્યાશી લાખ યોનિમાં ભટકતો રખડતો હવે મનુષ્ય ગતિમાં આવ્યો છે. પરંતુ મનુષ્ય ગતિમાં તે બાહ્ય પદાર્થોમાં સુખ શોધવા મથે છે. તે એક વસ્તુને સુખબુદ્ધિથી ગ્રહણ કરે છે અને તેમાં સુખ પ્રાપ્ત ન થતાં તેનો ત્યાગ કરીને બીજી વસ્તુ ગ્રહણ કરે છે. એમ કરતાં કરતાં તેને થાક, નિરાશા અને વિષાદનો અનુભવ થાય છે એથી તેની ચંચળતા વધતી જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org