________________
૨. મનાષ્ટક
પોતાના આત્મા સમાન લાગે છે. સર્વ જીવોનું કલ્યાણ થાય, સર્વ જીવો મુક્તિસુખ પામે એવી ભાવના નિરંતર તેમના અંતરમાં રહે છે. સર્વ જીવો ૫૨ એમની કૃપાદ્દષ્ટિ રહેલી હોય છે. સંસારમાં કોઈનું પણ અહિત ક૨વાનું તેમને મન થતું નથી અથવા કોઈનું, અરે પાપીનું પણ અહિત થાય એવો ભાવ એમના મનમાં રહેતો નથી.
આવા યોગી મહાત્માઓની વાણી ક્રોધાદિ કષાયો કે રાગદ્વેષાદિ દોષોથી રહિત ઉપશમરસથી સભર હોય છે. ચંદ્રના શીતલ કિરણોની જેમ એમની મધુર વાણી સુધા વરસાવતી રહે છે. સર્વ જીવો સાથે એમનો વાણીવ્યવહા૨ મૃદુતા અને મધુરતાથી ભરેલો હોય છે. એમની કરુણાર્દ્ર વાણી સાંભળતાં જ માણસને પોતાના કોઈ હિતેચ્છુના તે શબ્દો હોય એવો અનુભવ થાય છે.
આવા યોગી મહાત્માને ગ્રંથકાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની જેમ આપણે પણ ભાવપૂર્વક નમસ્કા૨ કરીએ છીએ.
Jain Education International
૩૩
For Personal & Private Use Only
www.jainelibrary.org