________________
૩૨
જ્ઞાનસાર
આવ્યા પછી થયેલા અનુભવોની વાતો ચારે બાજુ મહાકથાની જેમ પ્રસરે છે. ગ્રંથકારશ્રી કહે છે કે આત્મજ્ઞાનમાં અંશે જેમણે મગ્નતા અનુભવી છે એમની જો આવી વાતો હોય, તો જેમણે સર્વાગ મગ્નતા અનુભવી હોય એવા મહાત્માની સ્તુતિ અમે કયા શબ્દોમાં કરી શકીએ ? મતલબ કે એમની સ્તુતિ કરવા માટે અમારી પાસે પૂરતા શબ્દો નથી. [૧૬] યસ્થ વ્રુષ્ટિ પાવૃષ્ટિ : શમસુધારિ: |
तस्मै नमः शुभज्ञानध्यानमग्नाय योगिने ।। २ ।। ८ ।। [શબ્દાર્થ =જેની વૃષ્ટિ દષ્ટિ, ચલુ, પવૃષ્ટિ કૃપાનીવૃષ્ટિ : =વાણી; મારિ :=શમરૂપી અમૃતનો છંટકાવ કરનારી, તમૅ તેને; નમ:=નમસ્કાર હો; મજ્ઞાનધ્યાનમનાય શુભ (પ્રશસ્ત) જ્ઞાન અને ધ્યાનમાં મગ્ન એવાને; થોને યોગીને.]
અનુવાદજેમની દષ્ટિ કૃપાની વૃષ્ટિ કરનારી છે અને જેમની વાણી ઉપશમરૂપી અમૃતનો છંટકાવ કરનારી છે, તે શુભ જ્ઞાન ધ્યાનમાં મગ્ન બનેલા યોગીને નમસ્કાર હો ! (૮)
વિશેષાર્થ જ્ઞાનમગ્નતાનું સ્વરૂપ સમજાવ્યા પછી આ અષ્ટકને અંતે ગ્રંથકારશ્રી એવા જ્ઞાન-ધ્યાનમાં મગ્ન યોગીને નમસ્કાર કરે છે.
જ્ઞાનયોગીનાં ઘણાં શુભલક્ષણો હોય છે. એમાંથી ઉદાહરણરૂપ બે મહત્ત્વનાં લક્ષણોનો અહીં નિર્દેશ કરવામાં આવ્યો છેઃ (૧) જેમની દૃષ્ટિ કૃપા વરસાવનારી હોય છે અને (૨) જેમની વાણી ઉપશમરૂપી સુધાનો છંટકાવ કરનારી હોય છે. જેમ જેમ સાધક આત્માની જ્ઞાન અને ધ્યાનમાં મગ્નતા વધતી જાય છે તેમ તેમ તેમની દૃષ્ટિમાં અને વાણીમાં શુભ પરિવર્તન આવતું જાય છે. તેમની દૃષ્ટિમાં જગતના જીવો પ્રત્યે કરુણા વહેવા લાગે છે. જગતના સર્વ જીવોનો આત્મા એમને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org