________________
૨. મગ્નાષ્ટક
૩૧
(જ્ઞાનામૃતના), વિપુષ:=બિન્દુ; પિકપણ; માથા:=મોટી કથાઓ; —િશી રીતે?; તુમ =સ્તુતિ કરીએ; જ્ઞાનપીયૂષે=જ્ઞાનરૂપી અમૃતમાં; તત્ર ત્યાં; સામનતામ=સર્વ અંગે મગ્નપણાની.] અનુવાદ-ઉપશમરૂપી શીતળતાની પુષ્ટિ કરનાર જેના (જ્ઞાનામૃતના) બિંદુની પણ મહાકથા છે, તે જ્ઞાનામૃતમાં સર્વાગે મગ્નતાની અમે શી સ્તુતિ કરીએ ? (૭)
વિશેષાર્થઃ વિમુષ એટલે બિન્દુ. ઉપશમની શીતળતાને પુષ્ટ કરનાર જ્ઞાનમગ્નતાના આનંદરૂપી અમૃતના એક બિંદુની વાત પણ મહાકથા જેવી છે. શમ અથવા ઉપશમ એટલે ક્રોધાદિ કષાયોનું શાન્ત થઈ જવું, ઇષ્ટ અને અનિષ્ટ વસ્તુને વિશે રાગદ્વેષની પરિણતિ મંદ થઈ જવી. જેઓ સમતામાં સ્થિર થઈ સ્વભાવદશાનો આનંદ અનુભવે છે એવા સમ્યજ્ઞાની મહાત્માઓના સંપર્કમાં આવ્યા પછી પોતાને થયેલા અનુભવોની વાત એક મહાકથાની જેમ ચારે બાજુ પ્રસરે છે.
જગતમાં પુદ્ગલાનંદની, ભૌતિક સુખસમૃદ્ધિની, ઈનામ-લોટરીની વાતો પણ તરત પ્રચલિત થવા માંડે છે. સંસારના ઘણાખરા જીવો આવા પુદ્ગલાનંદની પાછળ પડ્યા હોય છે. ઇન્દ્રિયોના બાહ્ય સુખ પાછળ દોટ મૂકનાર જીવોને એથી જે સુખ મળે છે તે અલ્પકાલીન અને પરાવલંબી હોય છે. જ્યાં સુધી આત્મિક સુખનો અનુભવ થયો નથી ત્યાં સુધી જ એનો મહિમા એમને લાગે છે. પરંતુ ભૌતિક પદાર્થો અને અનુકૂળતાઓનું સુખ, જ્યાં સુધી હીરો જોયો ન હોય ત્યાં સુધી કાચનો ટુકડો વહાલો લાગે એના જેવું છે.
ઉપશમ એટલે ક્રોધાદિ કષાયો જેમના શાન્ત થઈ ગયા છે, રાગદ્વેષની પરિણતિ જેમની મંદ થઈ ગઈ છે, જેઓ સમતામાં સ્થિર થઈ એનો આનંદ અનુભવે છે, એવા સમ્યગુજ્ઞાની મહાત્માઓની સ્વભાવદશા. ઉપશમની શીતળતાના અંશ માત્રનો, બિન્દુમાત્રનો આસ્વાદ એક મહાકથા જેવો બની જાય છે, એમના સંપર્કમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org