________________
૩૦.
જ્ઞાનસાર
વિશેષાવશ્યકભાષ્યમાં નીચેની બે ગાથામાં કહ્યું છેઃ
विसयसुहं दुक्खं चिय दुक्खपडियारओ तिगिच्छ व्व ।
तं सुहमुवयाराओ न उवयारो विणा तच्चं ।। [વિષયસુખ દુઃખના પ્રતિકારરૂપ હોવાથી ચિકિત્સાની જેમ વસ્તુતઃ દુઃખ જ છે. પરંતુ તે ઉપચારથી સુખ છે. ઉપચાર પણ તેના વિના હોતો નથી. અર્થાત્ પારમાર્થિક સુખનો વિષયસુખમાં આરોપ કરવામાં આવે છે.]
सायासायं दुक्खं तव्विरहम्मि य सुहं जओ तेणं ।
देहिदिएसुदुक्खं सोक्खं देहिंदियाभावे ।। [શતાવેદનીય અને અશાતાવેદનીય બંને દુઃખ જ છે. તેના વિરહમાં-અભાવમાં સુખ છે. તે શાતા-અશાતા દેહ અને ઇન્દ્રિયોના આધારે થતું હોવાથી દુઃખ છે. શરીર અને ઇન્દ્રિયોના અભાવમાં સુખ છે.]
જગતનાં ઘણાખરા જીવો પદ્ગલિક સુખ માણે છે. એના કરતાં ચડિયાતું એવું આધ્યાત્મિક સુખ છે એવી તેમને ખબર જ નથી હોતી. કેટલાકને એની ખબર હોય છે, પણ એ માટે રુચિ કે સમયાવકાશ હોતાં નથી. કેટલાકને એ પણ હોય છે, તો એવો અનુભવ નથી હોતો. સંસારમાં શ્રુતજ્ઞાનના આનંદની કે આત્મજ્ઞાનના આનંદની અનુભૂતિ કોઈક વિરલા ભાગ્યશાળીને હોય છે. જેમણે એવો અનુભવ કર્યો છે તેઓ પણ એને શબ્દમાં વર્ણવી શકતા નથી. એટલે એ આનંદ કેવો છે તે જાણવા માટે જાતે જ અનુભવ કરવો પડે છે. રુચિ, શ્રદ્ધા અને પુરુષાર્થથી એવો અનુભવ થઈ શકે છે. [૧૫] શમશૈત્યપુષો વચ્ચે વિભુષોડપિ મહાથા: |
હિં તુમો જ્ઞાનપીયૂષે તત્ર સર્વામનતામ્ II ૨ | ૭ | શબ્દાર્થ શમશૈત્યપુષ:=શમ (ઉપશમ) રૂપી શીતળતાને પોષનારી; =જેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org