________________
૨. મગ્નાષ્ટક
પ્રિયાના આલિંગનના કે ચંદનના વિલેપનના સુખ સાથે તેની સરખામણી થઈ શકે એમ નથી. (૬)
વિશેષાર્થ કોઈપણ વાતમાં જીવ જ્યારે અતિશય મગ્ન થઈ જાય છે ત્યારે તે આસપાસનું બધું ભૂલી જાય છે. ક્યારેક ખાવાપીવાનું પણ ભૂલી જાય છે. સ્થળ અને કાલનું એને કંઈ ભાન રહેતું નથી.
જો સામાન્ય વાતમાં આમ બનતું હોય તો જ્ઞાનની બાબતમાં તો એ સવિશેષ બને છે. એટલે જ અહીં કહ્યું છે કે જ્ઞાનમગ્ન માણસના સુખાનુભવને ભાષામાં વર્ણવી શકાય એમ નથી, કારણ કે એ અનુભવ ઇન્દ્રિયોથી પર હોય છે. એ એવો અદ્વિતીય હોય છે કે એને માટે કોઈ ઉપમા આપી શકાતી નથી. બાહ્ય ભૌતિક જગતમાં પ્રિય સ્ત્રીનું આલિંગન, બાવનાચંદનનું વિલેપન ઇત્યાદિનો આનંદ કેટલાકને માટે ચડિયાતો ગણાય છે, પણ આ પીગલિક આનંદની સાથે જ્ઞાનાનંદને સરખાવી શકાય એમ નથી. એના કરતાં પણ એ અતિશય, અકચ્છ ચડિયાતો છે. ભૌતિક પદાર્થોના ઉપભોગના આનંદને મર્યાદા હોય છે. તે અલ્પકાલીન હોય છે. તે પ્રાપ્ત કરવા મહેનત કરવી પડે છે અને તે ભોગવ્યા પછી થાક, અરુચિ, ગ્લાનિ વગેરે અનુભવાય છે. તેનો અતિભોગ થઈ શકતો નથી. જ્ઞાનમગ્નતાનો આનંદ શુદ્ધ, ઉપાધિ વિનાનો, અખંડ, ઉત્તરોત્તર વિશેષ ચમત્કૃતિ ભરેલો હોય છે. ભૌતિક પદાર્થો ક્યારેક સુખનો અનુભવ કરાવવાને બદલે દુઃખરૂપ નીવડે છે. પ્રિયા, પુત્ર, પૌદ્ગલિક પદાર્થો સંકટ કે મૃત્યુનાં નિમિત્ત પણ ક્યારેક બની જાય છે અથવા તે આરંભમાં સુખરૂપ અને પ્રાન્ત દુ:ખરૂપ બને છે. જ્ઞાનાનંદ ક્યારેય દુઃખમાં પરિણમતો નથી. પુદ્ગલાનંદની પ્રાપ્તિ માટે પાપારંભ કરવા પડે છે, જે કર્મબંધમાં પરિણમે છે અને વિપાકોદય વખતે દુઃખ આપનારા નીવડે છે. જ્ઞાનાનંદની પ્રાપ્તિમાં પાપારંભ હોતા નથી, પરંતુ જ્ઞાનાનંદથી કર્મની નિર્જરાનો લાભ મળે છે.
સંસારનાં ભૌતિક સુખો તત્ત્વસ્વરૂપની દૃષ્ટિએ દુઃખ જ છે. વસ્તુતઃ ભૌતિક સુખ એ દુઃખનો પ્રતિકાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org