________________
૨૮
થઈને સિદ્ધબુદ્ધ થાય છે, નિર્વાણ પામે છે.
આ તેજોલેશ્યાની વૃદ્ધિ ફક્ત સાધુઓને જ હોય છે અને તેમાં પણ બધા જ સાધુઓને તે નથી હોતી. જેઓ આત્મજ્ઞાનમાં ઉત્તરોત્તર વધુ મગ્ન હોય તેમને વિશે એ ઘટે છે. જેઓ મંદ સંવેગી હોય તેવા સાધુઓને આવા ભાવ કે આનંદનો અનુભવ થતો નથી.
એક વર્ષ કે તેથી અધિક ચારિત્રપર્યાયવાળા મહાત્માઓ અમત્સરી, કૃતજ્ઞ, સદારંભી, હિતાનુબંધી, અકિંચન, સદાગમથી વિશુદ્ધ, પરમ શુકલ પરિણામવાળા, પરભાવમાંથી નિવૃત્ત, પૌદ્ગલિક વિષયો પ્રત્યે અનાસક્ત, ઇન્દ્રિયવિજેતા, આત્મમગ્ન હોય છે. કહ્યું છે :
आकिंञ्चन्यं मुख्यं ब्रह्मातिपरं सदागमविशुद्धम् । सर्वं शुक्लमिदं खलु नियमात्संवत्सरादूर्ध्वम् ।।
[મુખ્ય અકિંચનપણું, બ્રહ્મને વિશે અત્યંત તત્પરતા, સદાગમ વડે વિશુદ્ધ એ શુક્લ છે અને તે એક વર્ષના ચારિત્ર પછી અવશ્ય હોય છે.]
સર્વ
જ્ઞાનમગ્ન મહાત્માઓની આવી ઉચ્ચ આધ્યાત્મિક દશા હોય છે.
[૧૪] જ્ઞાનમનસ્ય યષ્કર્મ તનૂનું નૈવ શક્યતે
નોજ્ઞેયં પ્રિયાશ્ર્લેષનપિ તન્તનદ્રવૈઃ ।।૨। ૬ ।।
Jain Education International
જ્ઞાનસાર
[શબ્દાર્થઃ જ્ઞાનમનસ્ય=જ્ઞાનમાં મગ્ન થયેલાને; યત્=જેઃ શર્મ=સુખ, આનંદ, ત—તે; વવતુ=કહેવાને; નૈવ=ના+વ નહિ જ; શઘ્યતે=શકાય; 7=ના, નથી; ૩૫મેયં=સરખાવવા યોગ્ય; પ્રિયા=પ્રિય સ્ત્રી; આજ્ઞેષ:=આલિંગન વડે; ન=નથી; અવિ=પણ; તત્—તે; ચન્દ્રનદ્રવૈ:=ચંદનના વિલેપન વડે.]
અનુવાદ-જ્ઞાનમાં મગ્ન થયેલાનું જે સુખ છે તે કહી (વર્ણવી) શકાય એવું નથી.
For Personal & Private Use Only
www.jainelibrary.org