________________
૨. મુનાષ્ટક
સ્થંભૂતમ્ય=આવા પ્રકારનાને, જ્ઞાનમગ્નને; યુન્યતે=ઘટે છે.]
અનુવાદ-ભગવતી સૂત્ર વગેરે શાસ્ત્રોમાં સાધુને ચારિત્રપર્યાયની વૃદ્ધિ થવાથી જે તેજોલેશ્યાની (ચિત્તસુખલાભની) વિશેષ વૃદ્ધિ કહેલી છે તે આવા પ્રકારના જ્ઞાનમગ્નને ઘટે છે. (૫)
૨૭
વિશેષાર્થ : જ્ઞાનમગ્ન મહાત્માઓને સુખનો કેવો અનુભવ થાય છે એ વિશે શ્રી ભગવતીસૂત્ર વગેરે શાસ્ત્રોના આધાર સાથે અહીં દર્શાવવામાં આવ્યું છે. ‘તેજોલેશ્યા’ શબ્દ અહીં પ્રયોજાયો છે. ‘તેજોલેશ્યા' શબ્દ ત્રણ જુદા જુદા અર્થમાં વપરાય છે. ચિત્તના શુભાશુભ અધ્યવસાયો માટે છ પ્રકારની જે લેશ્યા છે તેમાં પીત પ્રકારની લેશ્યાને તેજોલેશ્યા કહેવામાં આવે છે. તદુપરાંત ઉગ્ર તપશ્ચર્યાથી પ્રાપ્ત થતી વિશિષ્ટ પ્રકારની લબ્ધિને તેજોલેશ્યા કહેવામાં આવે છે. શીત અને ઉષ્ણ એમ બે પ્રકારની તે હોય છે. એમાં ઉષ્ણ તેજોલેશ્યા જેના ૫૨ ફેંકવામાં આવે તેને તે બાળી નાખી શકે છે.
અહીં ત્રીજા પ્રકારની તેજોલેશ્યાનો ઉલ્લેખ છે. એનો અર્થ થાય છે ‘ચિત્તસુખ’, ‘ધર્મબિન્દુ’ની ટીકામાં કહ્યું છે: તેનશ્ચિત્તસુવનામલક્ષળમ્ । અર્થાત્ તેજોલેશ્યા એટલે ચિત્તસુખનો લાભ. તેજોલેશ્યા એટલે ચારિત્રશુદ્ધિથી પ્રાપ્ત થતો વિશિષ્ટ કોટિનો ઉચ્ચત્તર આનંદ.
શ્રી ભગવતીસૂત્રના ચૌદમા શતકમાં શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીર સ્વામી કહે છે, ‘હે ગૌતમ ! એક માસ દીક્ષાપર્યાયવાળા શ્રમણ નિર્પ્રન્થ વાણવ્યંતર દેવોના સુખને ઓળંગી જાય છે.' આ રીતે બે માસ, ત્રણ માસ, યાવત્ બાર માસના દીક્ષાપર્યાયવાળા મુનિવરો અનુક્રમે કયા કયા દેવો કરતાં વધુ સુખ અનુભવે છે તે ભગવાને બતાવ્યું છે. બાર માસના દીક્ષાપર્યાયવાળાને અનુત્તર વિમાનવાસી દેવોથી પણ અધિક સુખ હોય છે. આમ દીક્ષાપર્યાયની જેમ જેમ વૃદ્ધિ થાય તેમ તેમ સુખની વૃદ્ધિ થાય છે. એક સંવત્સર પછી ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં તે નિરતિચાર ચારિત્રવાળા અકિંચન મહાત્મા વિશુદ્ધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org