________________
४०
જ્ઞાનસાર
વિશેષાર્થ : મુનિ ભગવંતે પોતાની સંયમક્રિયાઓમાં સ્થિરતા સાધવી હોય તો તે માટે અહીં આયુર્વેદની પરિભાષામાં ઉપાય દર્શાવ્યો છે. આયુર્વેદમાં કોઈ મોટા રોગના ઉપચાર પહેલાં મળશુદ્ધિ કરાવવામાં આવે છે અને ત્યાર પછી પથ્યાપથ્ય બતાવવામાં આવે છે અને સાથે ઔષધોપચાર ચાલુ થાય છે. મળ એ એક પ્રકારનું શલ્ય છે, કાંટો છે. કાંટો વાગે અને સખત દુઃખતું હોય, અસહ્ય પીડા થતી હોય તો દવા લગાડતાં પહેલાં કાંટો કાઢવો જોઈએ. કાંટો રહેવા દઈએ, કાઢીએ નહિ અને દવા લગાડીએ તો તેથી પીડા ઓછી થશે નહિ. ઉપચારમાં શલ્યમુક્તિ એ પહેલી શરત છે. પેટનાં દર્દોમાં મળશુદ્ધિ એ પહેલી શરત છે. તેવી રીતે સાધુજીવનમાં પીગલિક સુખોની અભિલાષા, પરભાવમાં રમણતા શલ્ય છે. એ જો દૂર ન થાય તો સ્વભાવમાં રમણતારૂપી સુખશાન્તિ ક્યાંથી પ્રાપ્ત થાય ? પણ જીવને અનાદિ કાળથી પરભાવમાં રમવાના, પીગલિક સુખ માણવાના અનિષ્ટ સંસ્કાર પડેલા છે. આહારાદિ સંજ્ઞાઓ બળવાન છે. આ સંજ્ઞાઓ તોડવાની જરૂર છે. પોગલિક ઇન્દ્રિયાર્થ સુખોની લાલસા છોડવાની છે અને આત્માને સ્વસ્વરૂપમાં જોડવાનો છે. જેમ શલ્યરહિત થવાથી ઉપચાર કારગત નીવડે છે તેમ સંયમસાધનામાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે શલ્યરહિત થવાનું છે. મિથ્યાત્વશલ્ય, માયાશલ્ય, નિદાનશલ્યથી મુક્ત થવાનું છે. નિઃશલ્ય થવાનું છે. વાચક ઉમાસ્વાતીએ તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે વ્રતધારી શ્રાવકે અને મુનિભગવંતે ભગવાને બતાવેલી ધર્મક્રિયારૂપી ઔષધનું સેવન કરવા માટે નિઃશલ્ય થવાનું છે. તો જ વ્રતની સારી રીતે આરાધના થઈ શકે. જ્યાં સુધી આ આત્યંતર શલ્ય છે ત્યાં સુધી ચેતનાની પરિણતિમાં સ્થિરતા આવવાની નહિ. પરભાવમાં કર્તાપણારૂપી અસ્થિરતા દૂર ન થાય તો તેમાં ધર્મક્રિયારૂપી ઔષધનો દોષ નથી. ઉપશમાદિ અંતરંગ ગુણોરૂપી ભાવસ્થિરતા આવતી નથી ત્યાં સુધી બાહ્યક્રિયાઓ ગમે તેટલી સારી દેખાતી હોય તો પણ તે ગુણકારી બનતી નથી. માટે બાહ્ય ક્રિયાઓ દ્વારા અંતરંગ ભાવસ્થિરતા માટે પુરુષાર્થ કરવો જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org