________________
૩. સ્થિરતાષ્ટક
[૨૧] સ્થિરતા વામનઃજાયૈર્યેષામ,કિતાં થતા । યોશિન: સમશીતાસ્તે પ્રામેડરળ્યે વિવા નિશિ । રૂ ૫ધ્
[શબ્દાર્થઃ સ્થિરતા=સ્થિરતા; વાડ્મન:ાય:=વાણી, મન અને કાયા વડે; માકિતાં=અંગરૂપ, એકરૂપ, તન્મયતા; રાતા=પ્રાપ્ત થયેલ છે; યોશિન: =યોગીઓ; સમીના:-સમભાવવાળા; તે=તે; મે=ગામમાં; મળ્યે=જંગલમાં, વનમાં; વિવા=દિવસે; નિશિ=રાત્રે.]
૪૧
અનુવાદ–જેમને સ્થિરતા મન, વચન અને કાયાથી એકરૂપ થઈ ગઈ છે તે યોગીઓ ગામમાં કે જંગલમાં, દિવસે કે રાત્રે સમભાવવાળા હોય છે. (૫)
વિશેષાર્થ : યોગીજનોની સ્થિરતાની સાધના ક્રમે ક્રમે ઉત્કૃષ્ટ બનતી જાય છે. એક બાજુ બાહ્ય પ્રવૃત્તિઓમાં સંયમ અને બીજી બાજુ સંસારના પદાર્થો, વિષયો પ્રત્યે અંતરંગ ઉદાસીનતા એમ ઉભય પ્રકારે એમની સાધના વધુ શુદ્ધ અને તીવ્ર બનતી જાય છે. મનોયોગ, વચનયોગ અને કાયયોગ એ ત્રણેમાં એમની સ્થિરતા અંગભૂત બની જાય છે. એક વખત સાંસારિક રસમાંથી નિવૃત્ત થઈ જવાય પછી તેઓને પ્રયોજન વગ૨ કાયયોગ, વચનયોગ કે મનોયોગને પ્રવર્તાવવાનું રુચતું નથી. એવો ભાવ થતો નથી. એથી ઉત્તરોત્તર એમનું સમત્વ, સમશીલત્વ સ્થિર થતું જાય છે. અમુક આહાર સારો અને પ્રિય, અમુક વસ્ત્ર, રહેઠાણ વગેરે પ્રિય અને અનુકૂળ ઇત્યાદિ પક્ષપાત સંસારી માણસોને જેવો હોય છે તેવો પક્ષપાત તેમને હોતો નથી. તેવી જ રીતે સંસારી લોકોની જેમ તેઓને કોઈ આહાર, વસ્ત્ર, રહેઠાણ ઇત્યાદિ પ્રત્યે અરુચિ, અણગમો ઇત્યાદિ પણ હોતાં નથી. યોગી મહાત્માઓને એમના નિર્મળ જ્ઞાનોપયોગને કા૨ણે કશું અપ્રિય, કશું પ્રતિકૂળ હોતું નથી. પછી તેઓ ગામમાં વિચરતા હોય, કોઈ મોટા મનોહર નગરમાં વિચરતા હોય કે ભયંકર અરણ્યમાં વિચરતા હોય. બધે જ તેમની સ્વાભાવિક સમદૃષ્ટિ રહ્યા કરે છે. એમને ક્યાંય ફરિયાદ કરવાનું કે વિપરીત અભિપ્રાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org