________________
૪૨
ઉચ્ચારવાનું મન થતું નથી. અંતરમાં એવો ભાવ જ ઉદ્ભવતો નથી. જેમ ગ્રામ કે અરણ્ય વચ્ચે તેમ દિવસ કે રાત્રિ વચ્ચે પણ તેમને ફરક રહેતો નથી. સૂર્યપ્રકાશથી તેઓ ઉલ્લાસિત થાય અને અંધકારથી તેઓ ઉદ્વિગ્ન બને એવું થતું નથી. ગમે તેવા બાહ્ય સંજોગો હોય, એની સાથે એમને નિસ્બત નથી હોતી. તેઓ સમશીલવાળા, સમચિત્તવાળા, સ્થિરતાવાળા હોય છે. તેઓ નિજાનંદમાં મસ્ત હોય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ બધામાં તેમની દૃષ્ટિ સમ બની જાય છે.
જ્ઞાનસાર
અલબત્ત એનો અર્થ એ નથી કે યોગી મહાત્માઓને વ્યવહારજગતની દૃષ્ટિએ આ સુંદર કહેવાય, આ કુરૂપ કહેવાય, આ સુગંધ કહેવાય, આ દુર્ગંધ કહેવાય, આ શીત કહેવાય અને આ ઉષ્ણ કહેવાય એવી કશી ખબર જ પડતી નથી. એવું તો બુદ્ધિહીન જડ માણસોને, મંદબુદ્ધિવાળાને પણ હોઈ શકે છે. યોગી મહાત્માઓને એવી બધી જ સમજ હોવા છતાં તેઓએ પોતાના ઉપયોગને અંદર વાળી લીધો હોય છે. એટલે બાહ્ય પદાર્થો, વિષયો, વ્યક્તિઓ ઇત્યાદિના સંસર્ગમાં આવવા છતાં તેઓની તે પ્રત્યેની રાગદ્વેષની પરિણતિ શમી ગઈ હોય છે. તેઓના મન, વચન અને કાયા એ ત્રણેના યોગમાં સ્થિરતા આવી ગઈ હોય છે. [૨૨] ધૈર્યરત્નપ્રવીપશ્ચર્ય્ વીપ્ર: સંપરીપî:/ તદ્રિત્ત્પરતં ઘૂમરબંધૂમૈસ્તથાઽસ્ત્રવૈ: ।। રૂ ।। ૬ ।।
[શબ્દાર્થઃ સ્વૈર્યરત્નપ્રવીq:=સ્થિરતારૂપી રત્નનો દીવો; ચે—જો; વીત્ર:–દેદીપ્યમાન, પ્રકાશમાન; સંપવીપનૈ:=સંકલ્પરૂપી દીવાથી ઉત્પન્ન થયેલા; ત=તો; વિì:=વિકલ્પોરૂપ, અનં=બસ, જરૂર નથી; ધૂમૈ:=ધૂમાડાઓનું; સત્સંધૂમૈ:=અત્યંત ધૂમ, મલિન; તથા=વળી; આસવૈ:=આસ્રવો, કર્મબંધના હેતુઓનું.]
અનુવાદ–જો સ્થિરતારૂપી રત્નનો દીવો દેદીપ્યમાન છે, તો સંકલ્પરૂપ દીવાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org