________________
૩. સ્થિરતાષ્ટક
ઉત્પન્ન થયેલા વિકલ્પરૂપ ધૂમાડાનું શું કામ છે ? તથા અત્યંત મલિન એવા આસ્રવો (પ્રાણાતિપાતાદિ કર્મબંધના હેતુઓ)નું શું કામ છે ? (૬)
વિશેષાર્થ : સ્વભાવ-રમણતામાં સ્થિરતાને માટે રત્નની જ્યોતિનું અને સંકલ્પ-વિકલ્પ માટે દીપજ્યોતિનું રૂપક અહીં પ્રયોજવામાં આવ્યું છે.
૪૩
જૂના વખતમાં જ્યારે વીજળી (Electricity) ની શોધ નહોતી થઈ ત્યારે અંધારામાં પ્રકાશ માટે લાકડાની સળગતી સળી, તેલ-ઘીનો દીવો વગેરે કામ લાગતાં. પરંતુ સળગતી સળી થોડીવારમાં ઓલવાઈ જતી. ઘી કે તેલના દીવામાં ઘી કે તેલ પૂરતા રહેવું પડતું. એની જ્યોત નાની મોટી થયા કરે અને ધૂમાડાથી ઘર ભરાઈ જાય. દીવાનો પ્રકાશ સ્થિર ન રહે. પવનથી દીવાને બચાવવો પડે.
જૂના વખતમાં એવાં કેટલાંક કીમતી દેદીપ્યમાન (દીપ્ર) રત્નો મળતાં કે જે રાજામહારાજા કે મોટા શ્રેષ્ઠી વસાવતાં. એ રત્ન અંધારું થતાં ઝગમગે અને એનો પ્રકાશ સ્થિર રહ્યા કરે. એમાં કશું પૂરવાનું નહિ અને એનો ધૂમાડો હોય નહિ. એમાં કોઈ જીવહિંસા થાય નહિ અને એના પ્રકાશમાં વાંચીલખી પણ શકાય. (શ્રી હરિભદ્રસૂરિજીને એવું રત્ન એક શ્રેષ્ઠીએ આપેલું કે જેથી અંધારામાં પણ તેઓ લેખનવાંચનનું ઘણું કાર્ય કરી શક્યા હતા.)
જીવનની એષણાઓનો કોઈ અંત નથી અને બહિર્મુખ જીવને માટે સંસારમાં પ્રલોભનોનો કોઈ પાર નથી. ધનસંપત્તિ, માનપાન અને યશકીર્તિ, સત્તાનાં સિંહાસનો, ભોગવિલાસના પદાર્થોની પ્રાપ્તિ, વિજાતીય સંબંધો, કુટુંબ પરિવારમાં લગ્નાદિ પ્રસંગો અને એવા બધાંમાંથી વિકલ્પોની પરંપરા સર્જાય છે. અહંકાર અને મમત્વ એને વેગ આપે છે. સંકલ્પો જો પાર પડે તો વધુ નવા સંકલ્પો ઉદ્ભવે છે અને ન પાર પડે તો નિરાશા અને એમાંથી ઉદ્ભવતા અનર્થો ચાલુ થાય છે. વિવિધ પ્રકારના સંકલ્પો આર્ત્તધ્યાન કરાવે છે અને વિકલ્પો કેટલીક વાર રોદ્રધ્યાન પણ કરાવે છે. વિકલ્પોરૂપી ધૂમાડો જીવને ગુંગળાવે છે.
જ્યાં જ્યાં સંકલ્પ છે ત્યાં ત્યાં વિકલ્પો આવ્યા વગર રહેતા નથી, કારણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org