________________
૧૦. વૃષ્યષ્ટક
૧૪૫
તત્ત્વની દૃષ્ટિએ જોઈએ તો જડ એ જડ છે અને ચેતન એ ચેતન છે. પુદ્ગલદ્રવ્ય એ પુદ્ગલ દ્રવ્ય છે અને આત્મદ્રવ્ય એ આત્મદ્રવ્ય છે. પ્રત્યેક દ્રવ્ય પોતાનામાં પરિણમે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કશું કરી શકતું નથી. પરંતુ સંસારી દેહધારી જીવમાં બંને દ્રવ્યો એકક્ષેત્રાવગાહ, નીરક્ષીરની જેમ રહેલાં છે. અનાદિ કાળથી આમ ચાલતું આવ્યું છે. એટલે મિથ્યાત્વને કારણે જીવને ભ્રમ રહે છે કે પોતે શરીરરૂપ છે, પોતે ખાય છે, પોતે પીએ છે, પોતે સુખ ભોગવે છે. વસ્તુઃ નિશ્ચય દષ્ટિએ આત્મા કશું ખાતો નથી, કશું પીતો નથી કે પરદ્રવ્યને ભોગવતો નથી. અન્ન, વસ્ત્ર, ધન, માલમિલકત ઇત્યાદિ રૂપી પુદ્ગલો શરીર દ્વારા ભોગવાય છે, પરંતુ આત્મા એ ભોગવે છે એવો ભ્રમ થાય છે. સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા આત્મગુણોથી તૃપ્તિ પામે છે. એટલા માટે યથાર્થ બોધવાળા સમ્યગ્દષ્ટિ મહાત્માઓ આત્મામાં આત્મધર્મને સ્વીકારે છે અને પુદ્ગલમાં-પરવસ્તુમાં પરધર્મને સ્વીકારે છે. એટલા માટે પુદ્ગલોમાં થતી તૃપ્તિમાં આત્માનીતૃપ્તિ થાય છે એવું ભ્રાન્તિયુક્ત અભિમાન તેઓને ઘટતું નથી. સમ્યગુરુષ્ટિ જ્ઞાનીઓ પીગલિક સુખમાં રાગ કરતા નથી. જો પરપદાર્થના અનુભવમાં સુખ લાગે તો તે મિથ્યાજ્ઞાન છે. એટલા માટે કહ્યું છે.
तवइ तवं चरइ चरणं सुअं पि नव पुव्व जाव अब्भसइ ।
जा पर सुहे सुहत्तं ता नो सम्मत्तविन्नाणं ।। [તપ તપે, ચારિત્ર પાળે, શ્રુતજ્ઞાનનો પણ નવ પૂર્વ સુધી અભ્યાસ કરે, પરંતુ જ્યાં સુધી પરસુખમાં (પરદ્રવ્યથી થતા સુખમાં) સુખત્વ-સુખબુદ્ધિ ધરાવે ત્યાં સુધી સમ્યગૂ જ્ઞાન નથી.] શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે :
सुअवं सील वं चाई जिणमग्गायरणारई।
परं वा परसंगं वा धम्मं मन्नइ जो जडो ।। [શ્રુતજ્ઞાની, શીલવંત, ત્યાગી અને જિનમાર્ગના આચરણમાં રતિપ્રીતિવાળો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org