________________
૧૪૪
જ્ઞાનસાર
હોય ત્યાં પુરુષાર્થ કરવાનો ભાવ રહે છે. પુરુષાર્થમાં મંદતા કે હીનતા આવતી નથી. આત્માના સ્વભાવના અનુભવરૂપ તૃપ્તિ આત્માના સહજ વીર્યને પુષ્ટિ કરનાર થાય છે. એથી આત્માના ગુણો અધિક ખીલે છે.
શ્રી દેવચંદ્રજી મહારાજે “જ્ઞાનમંજરી” ટીકામાં આ શ્લોકનું વિવેચન કરતાં પરમ આધ્યાત્મિક તૃપ્તિ માટે ત્રણ મહત્ત્વના ઉપાય દર્શાવ્યા છેઃ (૧) સદ્ગુરુના ચરણની સેવા, (૨) આગમોનું અર્થાત્ જિનવચનનું શ્રવણ અને (૩) તત્ત્વનું ગ્રહણ. આમ શરણ, શ્રવણ અને ગ્રહણ એ ત્રણેમાં શુદ્ધિવૃદ્ધિ થાય, એ માટે પુરુષાર્થ થાય તો એથી મિથ્યાત્વ ટળે છે, સમ્યકત્વ નિર્મળ બને છે, કષાયો મંદ પડે છે, આરંભસમારંભનો ત્યાગ કરવાનો ભાવ રહે છે, સંસારનો પંથ કપાતો જાય છે અને મોક્ષનગરી તરફ વેગથી પ્રયાણ થવા લાગે છે. આત્મસ્વભાવની તૃપ્તિમાં એવું બળ રહેલું છે. [૭૭] પુર્તઃ પુનીતૃપ્તિ યાજ્યાભિ પુનરાભિની !
પરતૃપ્તિસમારોપો જ્ઞાનિનસ્તન્ન યુજ્યતે | ૨૦ | 4 | [શબ્દાર્થ પુનૈ =પુદ્ગલો વડે; પુસ્તિા =પુગલો; તૃપ્તિઋતૃપ્તિને (પુદ્ગલના ઉપચયરૂપ તૃપ્તિને); યાત=પામે છે; ૩માત્મા–આત્મા; પુન: =વળી; માત્મના=આત્માના ગુણ વડે; પર તૃપ્તિ=પરની તૃપ્તિ, પુદ્ગલની તૃપ્તિ; સમારો=આરોપણ કરવું, આત્માનો ઉપચાર કરવો; જ્ઞાનિન:=જ્ઞાનીને; તત્વ=તેથી, તે કારણથી; ન યુજ્યતે–ઘટતો નથી.]
અનુવાદ-પુદ્ગલોથી પુગલો તૃપ્તિ પામે છે. આત્માના ગુણ વડે આત્મા તૃપ્તિ પામે છે. એટલા માટે પુગલની તૃપ્તિનો આત્મામાં ઉપચાર કરવો જ્ઞાનીને ઘટતો નથી. (૫).
વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે નિશ્ચયનયની દૃષ્ટિએ એક મહત્ત્વની વાત અહીં કહી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org