________________
૧૫૦
જ્ઞાનસાર
બીજી બાજુ જ્ઞાનરૂપી અમૃતનો ઉપભોગ કરનારને, આત્મતત્ત્વમાં તન્મય બનનારને, સ્વસ્વરૂપમાં રમનારને અમૃતની તૃપ્તિના માત્ર એક જ ઓડકારનો નહિ, પણ ઓડકારની પરંપરાનો અનુભવ થાય છે.
પૌદ્ગલિક સુખ અને આત્મિક સુખ વચ્ચે કેટલું મોટું અંતર છે એ તો અનુભવથી વિશેષ સમજાય એવું છે. [૮] સુવિનો વિષયાતૃપ્તા દ્રોપેન્દ્રાવિયોવ્યો !
भिक्षुरेकः सुखी लोके ज्ञानतृप्तो निरञ्जनः ।। १० ।। ८ ।। [શબ્દાર્થઃ સુરવન =સુખી; વિષયાતૃપ્તા=વિષયથી અતૃપ્ત; ન=નથી, ડ્રોપેન્દ્રીય =ઇન્દ્ર, ઉપેન્દ્ર વગેરે; પિ=પણ; મો=અહો; મિક્ષ =ભિક્ષુ, સાધુ;
=એક; સુરવી=સુખી છે; તોવે=જગતમાં; જ્ઞાનતૃપ્ત =જ્ઞાનથી તૃપ્ત; નિરંગ:=કર્મરૂપી અંજન (મેલ)થી રહિત.]
અનુવાદ-અહો, વિષયોથી અતૃપ્ત એવા ઇન્દ્ર, ઉપેન્દ્ર વગેરે પણ સુખી નથી. આ જગતમાં જ્ઞાનથી તૃપ્ત અને નિરંજન (કર્મરૂપી મેલથી રહિત) એવા સાધુ જ સુખી છે. (૮)
વિશેષાર્થ આ શ્લોકમાં કહ્યું છે કે ઇન્દ્ર વગેરે સુખી નથી. માત્ર ભિક્ષુ એટલે કે મુનિ જ સુખી છે.
પ્રથમ દૃષ્ટિએ સામાન્ય માણસને આમાં વિરોધ લાગે. જેમની પાસે અપાર વૈભવ છે, ભોગવિલાસ છે એ ઇન્દ્ર સુખી નહિ પણ દુઃખી છે અને જેમની પાસે ભોગવવા માટેની કશી જ સામગ્રી નથી એ મુનિ સુખી છે એમ કેવી રીતે કહેવાય? અહીં સુખ પારમાર્થિક અર્થમાં લેવાનું છે. સુખની વિભાવના જુદી જુદી હોય છે. કચરો ખાનાર અને ગંદકીમાં રહેનાર ભુંડને પૂછવામાં આવે તો તે કહે કે “હું તો બહુ આનંદ અનુભવું છું. હું વિષ્ટાદિ યથેચ્છ ખાઈ શકું છું. ગંદી નાકમાંથી પાણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org