SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. દૃષ્યષ્ટક આવે છે. શાનથી તૃપ્ત થયેલાને ધ્યાનરૂપી અમૃતના ઓડકારની પરંપરા (ઉપરાઉપરી ઓડકાર) હોય છે. (૭) વિશેષાર્થ : જગત આખું પુદ્ગલના ઉપભોગમાં પડ્યું છે. ખાવુંપીવું, હરવુંફરવું, વેપારધંધો ક૨વો, માલમિલકત વસાવવાં, નવી નવી ચીજવસ્તુઓની ખરીદી ક૨વી ઇત્યાદિ અનેક રીતે કામભોગો ભોગવવાની મનુષ્યની પ્રવૃત્તિ નિરંતર ચાલ્યા કરે છે, છતાં મનુષ્ય ક્યારેય ધરાયો નથી. મિષ્ટાન્ન ભોજન જમ્યા પછી થોડા કલાકમાં ફરી ભૂખ લાગે છે અને ફરી માણસ ખાવા માટે તલસે છે. પુદ્ગલના ભોગમાં તૃપ્તિ નથી, પણ જેમ તૃપ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવે તેમ તેમ અતૃપ્તિ વધતી જાય છે. એટલા માટે જ કહ્યું છે કે : न जातु काम कामानां उपभोगेन शाम्यति । ઉપાધ્યાયજી મહારાજે ‘અધ્યાત્મસાર’માં કહ્યું છેઃ विषयैः क्षीयते कामो नेन्धनैरिव पावकः । प्रत्युत प्रोल्लसच्छक्तिर्भूयः एवोपवर्धते ।। [જેમ અગ્નિમાં ઇંધન નાખવાથી અગ્નિ હોલવાતો નથી પરંતુ શક્તિવાળો થઈ વધુ સળગે છે તેમ કામભોગ ભોગવવાથી વિષયો ક્ષીણ થતા નથી, પણ વૃદ્ધિ પામે છે.] વળી કહ્યું છેઃ ૧૪૯ जह जह पुग्गलभोगो तह तह वड्ढेइ विसयपि कसाई । इंद्रिय सुहा दुहा खलु अगिज्झा तओ विरत्ताणं ।। [જેમ જેમ પુદ્ગલનો ભોગ થાય છે તેમ તેમ વિષય અને કષાયની વૃદ્ધિ થાય છે. ઇન્દ્રિયોનું સુખ ખરેખર તો દુઃખરૂપ છે. એટલા માટે વિરક્ત થયેલાઓએ તે ગ્રહણ કરવા યોગ્ય નથી.] પુદ્ગલરૂપી વિષનું ભોજન કરવાથી વિષની અતૃપ્તિના માઠા ઓડકાર આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy