________________
૧૪૮
રાનસાર
પરબ્રહ્મનો જે રસ છે તે વાણીથી બહાર છે, વાણીથી અગ્રાહ્ય છે. સ્વરૂપાનુભૂતિ શબ્દથી સંપૂર્ણપણે વર્ણવી શકાતી નથી. વાણીમાં એ શક્તિ નથી. એ અનુભવને વર્ણવવા માટે શબ્દો ઓછા પડે છે, અસમર્થ નીવડે છે. કહેવાયું છે- તો વાવો નિવર્તિને અપ્રાપ્ય મનસા સહ . જ્યાંથી તેને પ્રાપ્ત કર્યા વિના વાણી મનસહિત પાછી ફરે છે.
આચારાંગ સૂત્રમાં કહ્યું છે, યસ પડ્યું નત્યિ” એટલે કે પદરહિત એવા આત્મસ્વરૂપને વર્ણવવા માટે કોઈ પદ (શબ્દ) સમર્થ નથી. વસ્તુતઃ આ પરમ આત્માનંદને વર્ણવવા કોઈ સમર્થ નથી, સર્વજ્ઞ ભગવાન પણ નહિ, કારણ કે એ અનુભવ વચનાતીત છે. વાણીમાં એ બળ નથી. શ્રીમદ્ રાજચંદ્ર “અપૂર્વ અવસર'માં કહ્યું છેઃ
જે સ્વરૂપ શ્રી સર્વજો દીઠું જ્ઞાનમાં,
કહી શક્યા નહિ તે પણ શ્રી ભગવાન જો. આમ, ચૈતન્યના વિલાસરૂપ, અમતૃસ્વરૂપ જે શુદ્ધ, નિતાન્ત પરમાનંદથી તૃપ્તિ થાય છે એ વિશે સામાન્ય માણસો કશું જાણતા નથી. એ વિશે તેઓએ કહ્યું સાંભળ્યું પણ નથી હોતું. જગતના સામાન્ય માણસો અને જ્ઞાનીઓ (આત્મજ્ઞાનીઓ) વચ્ચેનો આ મોટો તફાવત છે. [૭૦] વિષયોર્તિવિપીર: ચાતુર્તી પુર્તિઃ |
ज्ञानतृप्तस्य तु ध्यानसुधोद्गार-परंपरा ।। १० ।। ७ ।। [શબ્દાર્થ વિષય વિષયોના (પુદ્ગલના ઉપભોગના) તરંગો; વિષR:=ઝેરના ઓડકાર હોય છે; અતૃપ્તસ્થ નહિ તૃપ્ત થયેલાને; પુર્ત = પુગલો વડે; જ્ઞાનતૃપ્તચ=જ્ઞાનથી તૃપ્ત થયેલાને; તુ=તો; ધ્યાનસુધા=ધ્યાનરૂપી અમૃત; ૩રપરંપરા=ઓડકારની પરંપરા.]
અનુવાદ-વિષયો (પુગલના ઉપભોગ)થી નહિ તૃપ્ત થયેલાને વિષના ઓડકાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org