________________
૧૦. વૃષ્યષ્ટક
૧૪ ૭
લોકો જાણતા પણ નથી. (૬) શ્લેષાર્થ સાકર અને ઘીથી તથા સારા શાકથી ન અનુભવી શકાય તથા દૂધ-દહીં વગેરે ગોરસથી બાહ્ય અર્થાત્ ભિન્ન એવા પરબ્રહ્મમાં જે તૃપ્તિ છે તેને લોકો જાણતા પણ નથી. (૬)
વિશેષાર્થ આ શ્લોકમાં ગ્રંથકારશ્રીએ શ્લેષાલંકારની સંકલના કરીને પરબ્રહ્મના અનુભવનો મહિમા દર્શાવ્યો છે.
મધુરાજ્યના બે અર્થ થાય. એક અર્થ છે મધુ+રાજ્ય એટલે મનોહર, શ્રેષ્ઠ રાજ્ય; બીજો અર્થ છે મધુર+આજય. મધુર એટલે મિષ્ટ, સ્વાદિષ્ટ. આજય એટલે ઘી, મધુર આજ એટલે મિષ્ટ એવું ઘી, મહાશાકના બે અર્થ થાય. એક અર્થ તે મોટું સરસ શાક અને બીજો અર્થ થાય મોટી આશાવાળા. ગોરસાતુ બાહ્યના બે અર્થ થાય. ગો એટલે વાણી, વાણીના રસથી બાહ્ય અને બીજો અર્થ છે ગોરસ એટલે દૂધ-દહીં વગેરે.; ગોરસાત્ બાહ્ય એટલે દૂધ, દહીંની વાનગીઓ વિનાનું.
સામાન્ય માણસો માટે ભોજનમાં જે તૃપ્તિ છે તે મિષ્ટ ઘી, મોટાં (ઉત્તમ, મોંઘા) સારાં શાક વગેરેથી છે, પરંતુ ગોરસથી તે બાહ્ય નથી અર્થાત્ દૂધ, દહીંની વાનગીઓ વગરનું ભોજન અપૂર્ણ છે. એથી બરાબર તૃપ્તિ ન થાય. (જૂના વખતમાં કહેવાતું કે શાકે સવાયું, દૂઢ દોટું અને મિષ્ટાન્ને બમણું ખવાય છે.)
દુનિયાના સામાન્ય માણસોની મોટામાં મોટી એક તૃપ્તિ તે ભોજનની છે. દૂધ, દહીં, ઘી વગેરે સહિત, સ્વાદિષ્ટ શાક, ફરસાણ, મિઠાઈ ઇત્યાદિ મળે એટલે પેટ ભરીને માણસો જમે છે. આ એમની તૃપ્તિનો આનંદ છે. મનોહર રાજ્યની મોટી આશાવાળાઓ, ઐશ્વર્ય અને ભૌતિક સમૃદ્ધિની અભિલાષાવાળાઓને પણ એ મેળવવામાં જ તૃપ્તિ જણાય છે. પરંતુ આ તૃપ્તિ તો સ્થૂલ સપાટી પરની છે એવા લોકોને બિચારાઓને આનાથી ઘણી બધી ચડિયાતી એવી પરબ્રહ્મની પ્રાપ્તિના આનંદની તૃપ્તિ છે એ વાતની ખબર પણ નથી, તો પછી એ અનુભવ સુધી પહોંચવાની તો વાત જ શી ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org