________________
૧૦. વૃષ્યષ્ટક
૧૫ ૧
પી લઉં છું. ધૂળ કે કાદવમાં સૂઈ જાઉં છું. મારે તો બસ આનંદ ને આનંદ જ છે. મારા જેવું સુખી કોઈ નહિ.”
દેવોને મનગમતા વિષયો ભોગવવા મળે છે. મોટા વૈભવી આવાસો, ન કરમાય એવાં ફૂલોની માળા, અખંડ યૌવન, મનગમતી દેવાંગનાઓ, વેક્રિય લબ્ધિથી ગમે ત્યાં જવું, ગમે તેવાં રૂપ ધારણ કરવાં અને આ બધું ભોગવવા માટે હજારો, લાખો, કરોડો કે એથી વધુ વર્ષોનો સમય મળે. મનુષ્ય કરતાં દેવોનું સુખ કેટલું બધું ચડિયાતું છે !
પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આવા પ્રકારના આટલા બધા સુખથી પણ દેવોને સંતોષ થતો નથી. તેમનું આયુષ્ય પૂરું થવા આવે અને ગળામાં પહેરેલી ફૂલની માળા કરમાવા લાગે એટલે તેઓ ગ્લાનિ, ઉદ્વેગ, અતૃપ્તિ અનુભવે છે. તેઓ શોકાતુર બને છે.
જેમ ભૂંડ સુખી છે, પણ આપણને ભુંડના સુખની દયા આવે છે, તેમ સામાન્ય મનુષ્યોના અને દેવોના ભોગવિલાસ જોઈને જ્ઞાનીઓને તેમની દયા આવે છે, કારણ કે સાંસારિક મનુષ્યોએ જેને સુખ માન્યું છે તે જ્ઞાનીને મન ગંદકી છે, કીચડ છે.
વસ્તુતઃ તત્ત્વદૃષ્ટિથી વિચારીએ તો આપણું સુખ તે સુખ નથી પણ શાતાવેદનીય કર્મનો ઉદય છે. શાતાવેદનીય અને અશાતાવેદનીય બંને અંતે તો દુઃખના જ પ્રકાર છે. કારણ કે બંને કર્મ છે, એટલે કે આત્મસ્વરૂપ માટે આવરણરૂપ છે. વિશેષ આવશ્યકભાષ્ય'માં કહ્યું છેઃ
सायासायं दुक्खं तव्विरहंमि सुहं जओ तेण ।
देहेन्दिएसु दुक्खं सुक्खं देहिदियाभावे ।। | [શાતા અને અશાતા બંને દુઃખ જ છે. તે બંનેના અભાવમાં સુખ છે, કારણ કે દેહ અને ઇન્દ્રિયોમાં-(એના દ્વારા ભોગવાતું હોવાથી) દુઃખ છે અને દેહ તથા ઇન્દ્રિયોના અભાવમાં સુખ છે.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org