________________
૧૫ ૨
જ્ઞાનસાર
મનુષ્યનું ઇન્દ્રિયાર્થ સુખ તે સુખ તરીકે લાગે છે કારણ કે તે દુઃખના પ્રતિકારૂપ છે. પુણ્યના ફળ સ્વરૂપે આપણને જે સુખ ભોગવવા મળે છે તે પણ તાત્ત્વિક અને પારમાર્થિક દૃષ્ટિએ જોઈએ તો દુઃખ જ છે. પરદ્રવ્યના નિમિત્તથી પ્રાપ્ત થતું સુખ સાચી પરમ તૃપ્તિનો અનુભવ ન કરાવી શકે.
તો પછી સંસારમાં સુખી કોણ ? સુખી તે છે કે જે આત્મસ્વરૂપના જ્ઞાનથી તૃપ્ત છે અને રાગદ્વેષરૂપી મલિનતાથી મુક્ત-(નિરંજન) છે. આવી દશા સાચા જ્ઞાની ભિક્ષુઓની, મુનિઓની હોય છે. તેઓ આહાર ગ્રહણ કરે છે તે સ્વાદ માટે નહિ પણ સંયમના નિર્વાહ માટે કરે છે. તેઓ બીજી જે કંઈ ક્રિયાઓ કરે છે તે પરમાર્થે જ કરે છે. તેમની આત્મદશા ઘણી ઊંચી હોય છે. જ્ઞાની ભિક્ષુ નિત્ય સુખી છે. એ વિશે વાચક ઉમાસ્વાતિ મહારાજે કહ્યું છેઃ
स्वशरीरेऽपि न रज्यति शत्रावपि न प्रदोषमुपयाति ।
रोगजरामरणभयैरव्यथितो यः स नित्य सुखी ।। [જે પોતાના શરીર પર રાગ કરતો નથી, જે શત્રુ પર દ્વેષ કરતો નથી, જે રોગો, વૃદ્ધાવસ્થા અને મૃત્યુના ભયથી વ્યથિત થતો નથી તે નિત્ય સુખી’ છે.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org