________________
૧૧. નિર્લેપાષ્ટક
૧૧. નિર્લેપાષ્ટક [૧] સંમારે નિવલન્ સ્વાર્થસપ્ન: ખ્ખનવેનિ 1 लिप्यते निखिलो लोक : ज्ञानसिद्धो न लिप्यते ।। ११ ।। १ ।।
૧૫૩
[શબ્દાર્થઃ સંસારે=સંસારમાં; નિવસન્ =રહેતો; સ્વાર્થસન્ન:=સ્વાર્થથી સજ્જ, સ્વાર્થમાં તત્પર; જ્ન=કાજળ; વેશ્મનિ=ઘરમાં; જિતે=લેપાય છે (કર્મથી), નિષ્વિત:=અખિલ, સમસ્ત; તો:=લોક; જ્ઞાનસિદ્ઘ:=જ્ઞાન વડે સિદ્ધ; 7=નથી; નિપ્યતે =લેપાતો.]
અનુવાદ–કાજળના ઘર જેવા સંસારમાં રહેલો, સ્વાર્થમાં તત્પર એવો સમસ્ત લોક (કર્મથી) લેપાય છે. જે જ્ઞાનસિદ્ધ છે તે લેપાતો નથી. (૧)
વિશેષાર્થ : સંસારને માટે વ્યવહારમાં કાજળની કોટડીનું રૂપક પ્રયોજાય છે. એનો આશય એ છે કે સંસારમાં હાલતાં અને ચાલતાં કર્મ બંધાય છે. કાજળની કોટડી હોય તો એમાં દિવાલો, છત, ભોંય બધે જ કાળું કાજળ હોય. અંદર જઈએ અને ગમે તેટલી સાવધાની રાખીએ તો પણ ક્યાંક તો હાથપગ, કપડાં અડી જાય અને કાળાં કાળાં થાય. એટલે કાજળની કોટડીમાં રહેનારને તો કાળા ડાઘા લાગ્યા વગર રહે જ નહિ. ઉપાધ્યાયજી મહારાજે અન્યત્ર લખ્યું છેઃ
‘ગોરો કોરો કુણ રહે, મિસ ઉરો કરી વાસ ?' મિસ એટલે કે મેંશ (કાજળ). એના ઓરડામાં વાસ કરનાર ગોરો અને કોરો ક્યાંથી રહી શકે ? આપણે ત્યાં કહેવત છે કે ‘કોલસાની દલાલી કરનારના હાથ કાળા થયા વગર રહે નહિ.’ ઘરાકને કોલસાના નમૂના બતાવવા પડે, કોલસાની ગુણો ભરવી પડે, જોખવી પડે, ઠાલવવી પડે, એ બધામાં હાથ તો કાળા થાય જ. ટોપલામાં કોલસા ભરીને ઘરે ઘરે પહોંચાડનાર મજૂરનાં કપડાં હંમેશાં કાળાં જ હોય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org