________________
૧૫૪
જ્ઞાનસાર
આ સંસાર પણ એવો જ છે. એમાં જીવો વિવિધ પ્રકારનાં કર્મોરૂપી કાજળથી લેપાયા કરે છે. જીવો સ્વાર્થપરાયણ છે, બહિર્મુખ છે, બાહ્ય પીગલિક સુખોની પાછળ દોડનારા છે. તેમની રાગદ્વેષની વૃદ્ધિ સતત ચાલ્યા કરે છે. વળી તેમનામાં સ્વ–પરનો વિવેક નથી.
ચૌદ રાજલોક કાર્મણ વર્ગણાના પુદ્ગલ-પરમાણુઓથી ભરેલો છે. જીવો સ્વાર્થમાં સજ્જ હોવાથી ઇષ્ટનો સંયોગ અને અનિષ્ટનો વિયોગ સતત ચાલ્યા કરે છે. પરિણામે કર્મોથી જીવો સતત બંધાયા કરે છે.
પરંતુ જેઓ જ્ઞાનસિદ્ધ છે તેઓ કર્મોથી લેવાતા નથી. જેઓને જોખમની જાણકારી હોય તેઓ જોખમથી બચી જઈ શકે છે. તેઓ અગમચેતી રાખે છે. એવી જ રીતે જે જીવો કર્મ કેવી રીતે બંધાય છે અને તેમાંથી કેવી રીતે છૂટી શકાય છે એ વિશે જાણે છે તેઓ એ માટે યોગ્ય પુરુષાર્થ કરે છે. તેઓ એ જ્ઞાન પોતાનામાં એવું પરિણત કરે છે કે જેથી તેઓ જ્ઞાનસિદ્ધ થાય છે અને કર્મોથી લેવાતા નથી. આવું કોઈક વિરલ જ્ઞાની મહાત્માઓ જ કરી શકે છે. [૨]વાર્દ પુનમાવાનાં વિતાડપિ વા
नानुमन्ताऽपि चेत्यात्मज्ञानवान् लिप्यते कथम् ।। ११ ।। २ ।। [શબ્દાર્થ: ન=નથી; મર્દ હું, પુત્તિમાતાનો પુલ (પોદ્ગલિક) ભાવોનો; ર્તા કર્તા; કરનાર ારયિતા કરાવનાર; પિ પણ, વળી; =અને; ન નથી; મનુમન્તા=અનુમોદન કરનાર; પિકપણ; અને; તિ=એવા વિચારવાળો; માત્મજ્ઞાનવાન=આત્મજ્ઞાની; તિ =લેપાય; થ=કેમ.]
અનુવાદ-હું પોલિક ભાવોનો કર્તા, કરાવનાર અને તેને અનુમોદન આપનાર નથી, એવા વિચારવાળો આત્મજ્ઞાની કેવી રીતે લેપાય ? (૨).
વિશેષાર્થ : સંસારમાં પરિભ્રમણ કરતા સર્વ જીવોનો ઘાતી, અઘાતી કર્મો સાથે સંબંધ નિરંતર ચાલ્યા કરે છે, એનું કારણ પુદ્ગલ દ્રવ્ય સાથેનો એનો
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org