________________
જ્ઞાનસાર
અનુવાદ–“ભવચક્ર' નામના નગરમાં રહેવા છતાં, અને પોળે પોળે પરદ્રવ્યનું નાટક જોવા છતાં પણ મોહરહિત (આત્મા) ખેદ પામતો નથી. (૪)
વિશેષાર્થ આ શ્લોકમાં સંસારતે નાટક અને જીવ તે પ્રેક્ષક એવું રૂપક યોજવામાં આવ્યું છે. પરંતુ જીવરૂપી પ્રેક્ષકે આ નાટકમાં ભાગ પણ ભજવવાનો છે.
ત્રણે લોકમાં, ત્રણે કાળ ચાલનારા આ વિરાટ નાટકમાં મુખ્ય પાત્ર તે રાજા છે. આ રાજા તે અનાદિ-અનંત કર્મસત્તારૂપ-કર્મ-પરિણામરૂપ રાજા છે. ભવચક્ર નામનું નગર એની રાજધાની છે. આ નાટક પ્રતિ પાટકમાં એટલે પોળે પોળ, શેરીએ શેરીએ ભજવાઈ રહ્યું છે. આ નાટક એટલું લાંબું છે કે હજુય એનો અંત આવ્યો નથી અને ક્યારેય આવશે પણ નહિ.
આ નાટકમાં પાત્રો પ્રવેશે છે, પોતાનો ભાગ ભજવે છે અને ચાલ્યાં જાય છે. ફરી નવાં નવાં પાત્રો આવે છે અને એ જ રીતે ખેલ ચાલ્યા કરે છે. નાટક એટલું બધું રસિક અને આબેહૂબ છે કે ભજવનાર પાત્રો પણ ભૂલી જાય છે કે આ તો માત્ર નાટક છે અને એ સાચું હોય એમ હર્ષશોકાદિ અનુભવે છે.
આ નાટકમાં સંસાર રૂપી નગરમાં મનુષ્ય, તિર્યંચ, દેવતા અને નારકી એ ચાર ગતિરૂપ ચાર મુખ્ય રાજમાર્ગ છે અને જન્મમરણ વગેરે એની નાની નાની શેરીઓ
આ શેરી-મહોલ્લાઓમાં, અરે ઘરે ઘરે પરદ્રવ્યનું નાટક ચાલી રહ્યું છે. પરદ્રવ્યનું નાટક એટલે જન્મ, જરા, વ્યાધિ, મરણ વગેરેનું નાટક. પરદ્રવ્યનું નાટક એટલે સડણ, પડણ તથા વિધ્વંસનરૂપી ઘટનાઓનું નાટક. આ નાટક ભજવનાર પાત્રો અને જોનાર પ્રેક્ષકો જો અમૂઢ જ્ઞાની હોય તો તેઓ નાટકમાંથી બોધ લે છે. સારાં પાત્રો કે સારી ઘટનાઓ જોઈને તે માટે તેઓ રાગ કરતા નથી અને દુષ્ટ પાત્રો અને દુષ્ટ ઘટનાઓ જોઈને તેઓ તે માટે દ્વેષ કરતા નથી. પોતે સાક્ષીભાવે સંસારની લીલાને નિહાળે છે અને એથી જ એમને કોઈ હર્ષ-શોક, ક્લેશ-ખેદ વગેરે થતાં નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org