________________
૪. મોહત્યાગાષ્ટક
[૨૯] વિ7-૨ષરાત્મા પીતમોદીવોટ્યયમ્ .
भवोच्चतालमुत्तालप्रपञ्चमधितिष्ठति ।। ४ ।। ५ ।। [શબ્દાર્થ વિત્પષ =વિકલ્પરૂપી મદિરા પીવાના પાત્રો વડે; માત્મા=જીવ, પીત પીધો છે; મોદાવ=મોહરૂપી આસવ, મોહમદિરા; હિં=ખરેખર ગયે=આ; મહોબ્બેતાતં=ભવરૂપી દારૂના પીઠાનો; સત્તાન પંચં હાથ ઊંચા કરી તાળીઓ આપવાની ચેષ્ટા કરવામાં આવે છે એવા; ધતિષ્ઠતિ આશ્રય કરે છે.]
અનુવાદ-વિકલ્પરૂપી મદિરા-પાત્રથી મોહરૂપી મદિરાનું પાન કરનાર આ (આત્મા) જ્યાં હાથ ઊંચા કરી તાળીઓ પાડવામાં આવે છે એવા સંસારરૂપી દારૂના પીઠાનો આશ્રય કરે છે. (૫).
વિશેષાર્થ: આ શ્લોકમાં ઉપાધ્યાયજી મહારાજે મોહમય સંસારને માટે દારૂના એક પીઠાનું રૂપક પ્રયોજ્યું છે. મોહ એ આસવ અથવા મદિરા છે. વિકલ્પો એ પીવા માટેનું પાત્ર-ચષક અર્થાત્ જામ છે.
આપણી સામાન્ય માણસોની દૃષ્ટિએ સંસાર બરાબર ચાલતો લાગે છે, પરંતુ કોઈ જ્ઞાની પોતાની દિવ્યદૃષ્ટિથી આ સંસારને નિહાળે તો એને એ કેટલો બધો વિષમ, વિચિત્ર લાગે ! જાણે સુરાપાન કરનારા, નશો ચડેલા માણસોનું પીઠું.
જેઓએ કોઈ માણસને પહેલાં સ્વસ્થ અને ડાહ્યો અને પછી હાથમાં ખાલી લઈ ધીમે ધીમે બાટલીમાંથી દારૂ લઈને પીતાં અને પછી જેમ એને એ દારૂનો નશો ચડે તેમ એને હાહાખીખી કરતાં, અસભ્ય કે અસંબદ્ધ શબ્દો બોલતાં અને પછી બરાડા પાડતાં નિહાળ્યો હોય તેમને દારૂડિયા માણસના બદલાતા જતા વર્તન-વ્યવહારની વાત સમજાવવી નહિ પડે. દારૂનો ભયંકર નશો ચડે છે ત્યારે આખો માણસ જ બદલાઈ જાય છે. એમાં વળી તે માણસ મિત્રો સાથે દારૂના પીઠામાં કે ક્લબમાં હોય ત્યારે તે વધુ ચગે છે. તે અકારણ અટ્ટહાસ્ય કરે છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org