SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ૧૮ જ્ઞાનસાર તપસ્વીઓએ જિનાજ્ઞાનું પરિપાલન કરવું જોઈએ. આ પરિપાલન સાનુબંધ હોવું જોઈએ એટલે કે તે અનુબંધ સહિત હોવું જોઈએ. અર્થાત્ તે સતત હોવું જોઈએ. કેટલાયે અન્યધર્મી લોકો પણ પોતપોતાની રીત પ્રમાણે તપશ્ચર્યા કરે છે. પરંતુ તેમાં જિનાજ્ઞાનું પાલન ન હોવાથી તે મોક્ષનું કારણ ન બની શકે. બાહ્ય અને આત્યંતર તપથી કર્મક્ષય થાય છે અને કર્મક્ષયથી મોક્ષપ્રાપ્તિ છે એનું વિસ્મરણ ન થવું જોઈએ. તો જ તપ વિશુદ્ધ રહ્યા કરે. [२४७] तदेव हि तप: कार्यं दुर्ध्यानं यत्र नो भवेत् । યેન યોગ રહીયો ક્ષયને નેન્દ્રિયા િવ ારૂ? પાછા [શબ્દાર્થ : તવ=તે જ; હિં=ખરેખર; ત૫:=તપ; વૈર્ય=કરવા યોગ્ય; સુનં દુર્ગાન; યત્રે=જ્યાં; ન બ=ન થાય; યેન જેથી; યોm:=મન, વચન અને કાયાના યોગો; ન=નથી; રીતે હાનિ પામે; ક્ષીયન્ત-ક્ષય પામે; ન=નથી, નહિ; ન્દ્રિયણિ=ઇન્દ્રિયો.] અનુવાદઃ જ્યાં દુર્થાન ન હોય, જ્યાં યોગો (મન, વચન અને કાયાના) હાનિ ન પામે અને જ્યાં ઇન્દ્રિયોનો ક્ષય ન થાય એ જ તપ ખરેખર કરવા યોગ્ય છે. (૭) વિશેષાર્થ : વિવિધ પ્રકારનાં તપ કરનારાઓની બધાંની શક્તિ એકસરખી નથી હોતી અને બધાંની પાત્રતા પણ એકસરખી નથી હોતી. આબાલવૃદ્ધ સ્ત્રીપુરુષો તપ કરે છે. ગૃહસ્થો અને સાધુ-સાધ્વીઓ તપ કરે છે. કામકાજમાં વ્યસ્ત માણસો તપ કરે છે અને નિવૃત્ત માણસો પણ તપ કરે છે. પર્વના દિવસોમાં તો તપશ્ચર્યાનો મોટો મહોલ રચાય છે. કેટલાકથી નવકારશી જેવું તપ પણ થતું નથી અને મધુપ્રમેહના દર્દીઓ માટખમણ કરે છે. તપમાં દેખાદેખી ઇષ્ટ નીવડે છે અને અનિષ્ટ પણ નીવડે છે. પોતાના કરતાં ઓછી શક્તિ અને ઓછી અનુકૂળતાવાળા જ્યારે તપ કરતા જોવા મળે છે ત્યારે માણસને તપ કરવાનું પ્રેરક બળ મળે છે. કેટલાકને માટે આવી શરૂઆત પણ બહુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy