SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧. તપાષ્ટક ૪ ૧૭ વાળવામાં આવતા હોય તો પણ યોગ્ય સમયે એમને તપ વિશે યોગ્ય સમજણ આપવી જોઇએ. વળી તપસ્વીએ નિયાણું ન બાંધવું જોઈએ. તપથી શરીર સુકાય છે. રસો પોષાતા નથી. એટલે કામેચ્છા મંદ પડે છે. એટલે બ્રહ્મચર્યના પાલનમાં તપ અનુકૂળ છે. એમ છતાં ધ્યેયપૂર્વક બ્રહ્મચર્યનું પાલન તપશ્ચર્યા દરમિયાન થવું જોઈએ અને તપશ્ચર્યા ન ચાલતી હોય ત્યારે પણ બ્રહ્મચર્યના સેવનનો ભાવ ઉત્તરોત્તર વધતો રહેવો જોઈએ. જેઓ તપશ્ચર્યા કરે પણ સાથે સાથે અબ્રહ્મનું સેવન કરે તો એથી એમની તપશ્ચર્યા ખંડિત થાય છે. તપ કરનારે જિનભક્તિમાં મન પરોવી દેવું જોઈએ. એથી તપનો ભાર લાગતો નથી. મન ભક્તિમાં રોકાયેલું રહે છે અને જિનભક્તિના ઉલ્લાસથી તપમાં બળ મળે છે. ગૃહસ્થોએ દ્રવ્યપૂજા અને ભાવપૂજા એમ બંને પ્રકારે જિનભક્તિ કરવાની હોય છે અને સાધુ-સાધ્વીઓએ ભાવપૂજા કરવાની હોય છે. તપસ્વીની જિન ભક્તિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જવી જોઈએ. તપ કરનારના શરીરમાં ઉત્પન્ન થતી ઉર્જાને કારણે ક્યારેક તે ક્રોધ કરી બેસે છે. એનો મિજાજ ગરમ થઈ જાય છે. તપ કરનારે એ બાબતમાં સાવધ રહેવું જોઈએ. તપ કરનારે અભિમાન ન કરવું જોઈએ અને પોતાના તપ વિશે પણ એવો ભાવ ન આવવો જોઈએ. તપમાં માયા ન પ્રવેશવી જોઈએ. તપ છુપાવવાનો ભાવ અથવા તપ ન કર્યું હોય છતાં પોતે કર્યું છે એવું બતાવવાનો ભાવ ન હોવો જોઈએ. વળી તપ કરવામાં લોભવૃત્તિ ન રાખવી જોઈએ. પ્રભાવનાની અમુક વસ્તુ મેળવવાના લોભથી પણ તપ ન કરવું જોઉએ. ટૂંકમાં તપસ્વીના કષાયો પાતળા પડતા જવા જોઈએ. તપ કર્મક્ષયનું કારણ બને છે. કહ્યું છે : निरणुट्ठाणमयमोहरहियं सुद्धतत्तसंजुत्तं । अज्ज्ञत्थ भावणाए तं तवं कम्मखयऐउं । [લોકસંજ્ઞાને ન અનુસરનાર, મદરહિત, મોહરહિત, શુદ્ધતત્ત્વથી સંયુક્ત, અધ્યાત્મ ભાવના વડે જે તપ કરાય તે કર્મક્ષયનું કારણ છે.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy