________________
૨૩. લોકસંજ્ઞાત્યાગાષ્ટક
૩૦૫
પાસે રત્ન જોયું. એણે થોડા પૈસા આપીને બોરવાળી પાસેથી રત્ન લઈ લીધું. બોરવાળી એથી રાજી થઈ.
રબારીને થયું કે મને મફતમાં બોર ખાવા મળ્યાં. બોર વેચનારીને થયું કે બોરના બદલામાં પોતાને ઘણા બધા પૈસા મળ્યા. ઝવેરીને થયું કે મને સસ્તામાં રત્ન મળી ગયું. પરંતુ રબારીને જો ખબર હોત કે આ મૂલ્યવાન રત્ન છે તો તે આમ બોર માટે આપી ન દેત. બોરવાળીને ખબર હોત તો એણે રત્ન આપ્યું ન હોત.
સસ્તી વસ્તુના બદલામાં મોંઘી વસ્તુ આપી દેવી એ નરી મૂર્ખતા છે, અજ્ઞાન છે. ઘર્મ તો ચિંતામણિરત્ન કરતાં પણ વધુ મૂલ્યવાન છે. એ ગુમાવવાની મૂર્ખતા ન કરવી જોઈએ.
જે માણસો લોકો વખાણ કરે એ માટે ધર્મારાધના કરે છે, તેઓ પોતાની જાતને છેતરે છે. ઉપાધ્યાયજી મહારાજે જ કહ્યું છે કે “જનમનરંજન ધર્મનું મૂલ્ય ન ફૂટી બદામ'.
પોતાની જાતને વખતોવખત પૂછી જોવું જોઈએ કે “હે જીવ ! તું નાનું મોટું તપ કરે છે ત્યારે લોકો એની નોંધ લે, પ્રશંસા કરે એવી તો ઇચ્છા નથી રાખતો ને ? તું દાન આપે તો સમાજમાં તારી વાહ વાહ થાય એવી અપેક્ષા તો નથી રહેતી ને ? તેં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય તો લોકોમાં પંડિત કે જ્ઞાની તરીકે તારી વાહવાહ થાય તો તું રાજી રાજી થાય છે ?
સદ્ધર્મના બદલામાં જો તું લોકપ્રશંસાની સ્પૃહ રાખે તો તારો સદ્ધર્મ વ્યર્થ જશે. અથવા લોકપ્રશંસાના પ્રવાહમાં જ્યારે તું તણાઈ જાય છે ત્યારે તારી આવશ્યક ક્રિયાઓને ભૂલી ન જવાય તે જોવું જોઈએ.
સાચા આરાધકો, પોતે લોકપ્રશંસાના અધિકારી હોય છતાં લોકપ્રશંસા ન થતી હોય તો તેથી નિરાશ નથી થતા, બીજાની ઇર્ષા કરતા નથી, “સમાજ કદરહીન છે' એમ કહી સમાજને વગોવતા નથી. પોતે સારી રીતે જાણે છે કે તેઓ જે ધર્મારાધના કરે છે તે તો કર્મક્ષય માટે છે. મોક્ષપ્રાપ્તિ માટે છે, આવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org