SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસાર લેવાય કે જેઓ શિરમુંડન કે કેશલોચ કરાવે છે તેઓ ક્યારેય ઊંચી આધ્યાત્મિક દશા ન જ ધરાવતા હોય. પરંતુ ફક્ત બાહ્યદષ્ટિથી અવલોકન કરીને નિર્ણય ન આપી શકાય. શ્રી હરિભદ્રસૂરિજીએ “ષોડશક' ગ્રંથમાં કહ્યું છેઃ बाल: पश्यति लिङ्गं मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः परीक्षते सर्वयत्नेन ।। [બાળ (અજ્ઞાની) વેષને જુએ છે, મધ્યમ બુદ્ધિવાળો આચાર (વૃત્ત) નો વિચાર કરે છે અને પંડિત સર્વ યત્નથી આગમના તત્ત્વની પરીક્ષા કરે છે.] ઉત્તરાધ્યયનસૂત્રમાં ભગવાન મહાવીરે કહ્યું છેઃ न वि मुंडिएण समणो, न ओंकारेण बंभणो । નમુખી રાખવાન, સવારે તાવો ! [માથે મુંડન કરવાથી શ્રમણ કહેવાતો નથી. ૩ૐકારનો જાપ કરવાથી બ્રાહ્મણ થવાતું નથી, અરણ્યમાં રહેવાથી મુનિ કહેવાતો નથી અને કુશ (દર્ભ નામનું ઘાસ)નાં વસ્ત્ર પહેરવાથી તાપસ થવાતું નથી.] તો પછી શું કરવાથી તેમ થવાય એના ઉત્તરમાં ભગવાને કહ્યું છેઃ समयाए समणो होइ, बंभचेरेण बंभणो । नाणेण मुणी होइ, तवसा होइ तावसो ।। [સમભાવથી શ્રમણ થવાય છે. બ્રહ્મચર્યના પાલનથી બ્રાહ્મણ કહેવાય છે. જ્ઞાનની પ્રાપ્તિથી મુનિ થવાય છે અને તપ કરવાથી તાપસ કહેવાય છે.] કેવળ બહિર્દષ્ટિ જીવ સાધુબાવાઓના બાહ્ય વેશ જોઈને ઝૂકી જાય છે. એમનું માપ કાઢવાની કેટલાકમાં શક્તિ જ હોતી નથી. તેમની તેવી કક્ષા નથી હોતી. તેઓ તો અહોભાવ અને આશ્ચર્યથી વંદન કરે છે. વળી લોકમાન્યતા પણ રહે છે કે આવા બાવાઓ પાસે જડીબુટ્ટી હોય છે. કંઈક લબ્ધિસિદ્ધિ હોય છે. તેઓ પ્રસન્ન થાય તો આપણા ઘરમાં ધનનો વરસાદ વરસાવી શકે. કોઈકને માલ-મિલકતના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy