________________
૧૯. તત્ત્વદષ્ટિ અષ્ટક
૨ ૬ ૧
[શબ્દાર્થ મર્મના=ભસ્મથી, રાખ ચોળવાથી; ફેશનોન=કેશનો લોચ કરવાથી; વધૃતમત્તેન શરીર પર મેલ ધારણ કરવાથી; વા=અથવા; મશીન્ત મહાત્મા રૂપે; વીદિ=બાહ્યદૃષ્ટિ, બાહ્યદૃષ્ટિવાળા; વેરિં=જાણે છે; વિત્સામ્રાજ્યે=જ્ઞાનના સામ્રાજ્યથી, જ્ઞાનની પ્રભુતાથી, તત્ત્વવિ=તત્ત્વજ્ઞાની.]
અનુવાદ-ભસ્મ લગાવવાથી, કેશનો લોચ કરવાથી અથવા શરીર પર મેલ ધારણ કરવાથી આ મહાત્મા છે' એમ બાહ્યદષ્ટિવાળા જાણે છે, પરંતુ તત્ત્વજ્ઞાની તો જ્ઞાનની પ્રભુતાથી એ (મહાનતા) જાણે છે. (૭).
વિશેષાર્થ સામાજિક વિષયો અને પ્રવૃત્તિઓના અવલોકનમાં જેમ બાહ્યદૃષ્ટિ અને તત્ત્વદૃષ્ટિ વચ્ચે ફરક હોય છે તેમ ધર્મના ક્ષેત્રે કેટકેટલી બાબતમાં પણ બાહ્યદૃષ્ટિ અને તત્ત્વદષ્ટિ વચ્ચે ફરક જોઈ શકાય છે.
અહીં સાધુ-સંન્યાસીઓના બાહ્ય વેશ અને ક્રિયા વિશે કહેવામાં આવ્યું છે. કેટલાક સંન્યાસી બાવા શરીરે માત્ર લંગોટી ધારણ કરી આખા શરીરે ભસ્મ ચોપડતા હોય છે. કેટલાક માથે મુંડન કરાવે છે, કેટલાક કેશલોચ કરાવે છે. કેટલાક સ્નાન કરે નહિ અને પોતાના શરીર તથા વસ્ત્રને મેલાં રાખે છે.
ભસ્મ લગાડનારનો, કેશ લોચ કરનારનો કે શરીરે મેલ ધરાવનારનો આશય તેવો દંભ કરીને લોકોને છેતરવાનો, પોતાની માયાજાળમાં સપડાવવાનો જો હોય તો તે જુદી વાત છે. પરંતુ છેતરપિંડી કરવાનો આશય ન હોય અને પોતાની ધાર્મિક માન્યતાથી જ તેઓ તેમ કરતા હોય તો તત્ત્વદૃષ્ટિએ એમનું એ ધાર્મિક આચરણ કેટલું યોગ્ય છે તે વિચારણીય છે. એટલું તો સ્પષ્ટ છે કે આવા બાહ્ય આચરણમાં કષ્ટ ઘણું પડે છે. તે તેઓ સ્વેચ્છાએ સહન કરે છે અને તેને ધર્મના એક અંગરૂપ માને છે. આ પણ એક પ્રકારનું તપ છે એમ તેઓ સમજે છે.
તેઓ ખોટું કરે છે એમ કદાચ ન કહીએ તો પણ એટલા માત્રથી તેઓ ઊંચી આધ્યાત્મિક દશા ધરાવે છે એમ નહિ કહી શકાય. ઊંચી આધ્યાત્મિક દશા પ્રાપ્ત કરવા માટે તેવા પ્રકારની સાધનાની આવશ્યકતા રહે છે. અલબત્ત, એમ ન માની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org