________________
૨ ૬૦
જ્ઞાનસાર
થાય છે, પરંતુ તત્ત્વદષ્ટિવાળાને તો રાજમહેલમાં અને હાથીઘોડાના વનમાં કંઈ ભેદ જણાતો નથી. (૬) | વિશેષાર્થ : તત્ત્વદૃષ્ટિવાળા જ્યાં જ્યાં જાય અને જે જે જુએ ત્યાં ત્યાં તે તે વસ્તુને તત્ત્વદૃષ્ટિથી નિહાળે છે. કોઈનો રાજમહેલ જુએ કે કોઈની ઝૂંપડી જુએ, એમની નજરમાં ફરક પડતો નથી, કારણ કે તેઓ પુગલને પુદ્ગલ સ્વરૂપે નિહાળે છે. એમાં તેઓ પુણ્ય-પાપના ઉદયને વિચારે છે. રાજાના ભવનમાં તેઓ જાય કે વર્તમાન સમયના રાષ્ટ્રપતિના ભવનમાં જાય, ત્યાંની ભૌતિક સંપત્તિ જોઈ તેઓ આશ્ચર્યચકિત થતા નથી. રાજાની અશ્વશાળામાં ઘણા બધા ઘોડાઓ હોય અને હસ્તિશાળામાં મોટા મોટા હાથીઓ હોય તો તે જોઈને એમને એમાં વન દેખાય છે. તેઓ આશ્ચર્યચકિત થતા નથી. વર્તમાનમાં રાષ્ટ્રપતિ ભવન પાસે ઘણી બધી મોટરગાડીઓ પડેલી હોય તો તે કેવી રીતે બનાવાય છે, ક્યાં બનાવાય છે, એની કિંમત કેટલી હશે એ વિશે તેઓને કશી ઉત્સુકતા થતી નથી. પોતાને આવી સંપત્તિ અને સાનુકૂળતા મળે તો પોતે કેટલા બધા ભાગ્યશાળી ગણાય એવો ભાવ પણ તેમના મનમાં થતા નથી. તેઓ આવા ભૌતિક ઐશ્વર્યની અનિત્યતા અને અસારતાને સંભારે છે. ગમે તેવી મોટી, કિંમતી ભૌતિક સંપત્તિ હોય તો પણ તે નશ્વર છે એમ એમને સમજાય છે. આ બધા ઘડીકના ખેલ છે. ઘડીકમાં તે અવળા-ઊંધા પડી જાય છે અથવા આયુષ્ય પૂર્ણ થતાં તે ભોગવવા માટે રોકાવાતું નથી. યમરાજા આગળ સૌ કોઈ લાચાર બની જાય છે.
આમ, બાહ્યદષ્ટિવાળા લોકો જ્યાં અહોભાવયુક્ત, આશ્ચર્યયુક્ત દૃષ્ટિથી રાજી રાજી થઈ જાય છે ત્યાં તત્ત્વદૃષ્ટિવાળી વ્યક્તિ અનિત્યાદિ ભાવનાઓના ચિંતન પર ચડી જાય છે. હા, ક્યાંક આંતરિક ગુણસંપત્તિ જોવા મળે તો તેઓ પ્રસન્ન થાય છે. [૧૫૧] મમના શસ્ત્રોવેન વપુર્થતમને વા ..
महान्तं बाह्यग् वेत्ति चित्साम्राज्येन तत्त्ववित् ।। १९ ।।७।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org