________________
૧૯. તત્ત્વદૃષ્ટિ અષ્ટક
૨૫૯
પુરુષ એમ ઉભયના શરીરની વાત કરે છે. બાહ્યદૃષ્ટિવાળા જીવો જ્યારે જુએ છે ત્યારે તેઓને લાવણ્યની લહરીથી પવિત્ર બનેલો દેહ દેખાય છે. અનાદિ કાળથી લોકો શરીરની બાહ્ય ટાપટીપમાં પડેલા છે. શરીરને કેમ આકર્ષક-મોહક બનાવી શકાય એ માટે પ્રસાધનનાં જાત જાતનાં નવાં નવાં દ્રવ્યો અને સાધનો બજારમાં વેચાય છે. શુભ પ્રસંગોએ અને લગ્નાદિ પ્રસંગોએ દેહશણગારની પ્રવૃત્તિ વધુ સક્રિય બને છે. એ માટે વ્યવસાયો પણ વધ્યા છે.
બીજી બાજુ તત્ત્વદૃષ્ટિવાળા મહાત્માઓ ક્યારેય કોઈના રૂપલાવણ્યથી, શરીર-શણગારથી પ્રભાવિત થતા નથી તેઓ જાણે છે કે દિવસે દિવસે આ શરીર વૃદ્ધ થતું જવાનું છે અને એક દિવસ એનો અંત આવવાનો છે. આ શરીર બહારથી સુંદર લાગે છે, પણ અંદર તો એ વરવું છે. એ અશુચિથી ભરેલું છે. એના ઉદરમાં કૃમિઓ સળવળે છે. આ શરીરના મૃત્યુ પછી જો અંતિમ ક્રિયા કરવામાં ન આવી હોય તો અને ક્યાંક વગડામાં પડ્યું રહ્યું હોય તો પશુઓના શબની જેમ કાગડા, કૂતરા, ગીધનું ભક્ષણ એ બને છે. દેહ જ્યાં સુધી ચેતનમય હોય ત્યાં સુધી જ સુંદર લાગે છે અને એને શણગારવામાં આવે છે. મૃતદેહ સડવા લાગે છે. મતૃદેહને કોઈ ઘરેણાં પહેરાવીને શણગારતું નથી. માણસ મૃત્યુ પામે કે તરત એનાં ઘરેણાં, વીંટી, ઘડિયાળ વગેરે પણ કાઢી લેવામાં આવે છે. [૧૫] નાબૂમવન વિસ્મય વર્દિશઃ |
___ तत्राश्वेभवनात् कोऽपि भेदस्तत्त्वदृशस्तु न ।। १९ ।। ६ ।। [શબ્દાર્થ નાઐ =હાથી-ઘોડાઓ વડે; મૂવમવનં=રાજાનો મહેલ, રાજમંદિર; વિસ્મય વિસ્મયને માટે, આશ્ચર્ય માટે; વદિઈશ:=બાહ્યદૃષ્ટિવાળાને; તત્વ=તેમાં; મમવના–ઘોડા અને હાથી (રૂમ)ના વનથી; વો િકંઈ પણ; મેવા=ભેદ, વિશેષ; તત્ત્વદાસ્તુ=તત્ત્વદષ્ટિવાળાને તો; ન=નથી.]
અનુવાદ–બાહ્ય દષ્ટિવાળાને હાથીઘોડા વડે સજ્જ રાજમહેલ માટે આશ્ચર્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org