________________
૨ ૫૮
જ્ઞાન સાથે
વિશ્વામિત્ર અને મેનકાની પૌરાણિક ઘટના સુપ્રસિદ્ધ છે. એટલે સંયમ ધારણ કરનાર પુરુષે વિજાતીય આકર્ષણની બાબતમાં વધારે સાવધ રહેવાની જરૂર છે. કામવાસના અસહ્ય બનતાં પુરુષો સ્ત્રી પ્રત્યે આક્રમક બને, બળાત્કાર કરે એવી ઘટનાઓ હંમેશાં બનતી આવી છે. પરસ્ત્રીગમનનું કે વેશ્યાગમનનું પાપરૂપ વ્યસન પુરુષોમાં જોવા મળે છે.
કોઈ પણ વાત કે વ્યક્તિથી જીવને વિમુખ બનાવવો હોય તો એમાં રહેલા દોષો તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, દોષોને મોટા કરીને બતાવવા જોઈએ. કેવળ બાહ્યદૃષ્ટિવાળાને સ્ત્રીનો દેહ અશુચિમય છે એવી ખબર હોય તો પણ મોહદશાને કારણે તે વાત એને ગૌણ લાગે છે તો બીજી બાજુ અંતર્દષ્ટિવાળાને સ્ત્રીનો દેહ રમણીય હોવાની ખબર હોવા છતાં તે એને ગૌણ ગણે છે અને પોતાની સાધનામાં અને પોતાના ધ્યેયમાં એ એને બાધારૂપ માને છે.
એટલે સ્ત્રીના દેહને મળમૂત્રની હાંડલી કહેવામાં શાસ્ત્રકારનો આશય સ્ત્રીની વગોવણી કરવાનો નહિ, પણ વરવું ચિત્ર બતાવીને મુનિઓને એનાથી વિમુખ કરવાનો છે. આ આખી વાત સાપેક્ષ દૃષ્ટિથી વિચારાય તો એની યોગ્યતા સમજાય. [૧૪૯] નવયર્નહરીપુર્થ વપુ: પતિ વહિંદમ્ |
तत्त्वदृष्टिः श्वकाकानां भक्ष्यं कृमिकुलाकुलम् ।। १९ ।। ५ ।। [શબ્દાર્થ : તાવળ્યત્તહરીપુવૅ=સોન્દર્યના તરંગ વડે પવિત્ર; વધુ =શરીર; પશ્યતિ જુએ છે; વીટ્સ=બાહ્યદષ્ટિ; તત્ત્વ=તત્ત્વદૃષ્ટિ; #ાનાં કૂતરાંઓ અને કાગડાઓને; મર્ચં=ખાવા યોગ્ય, મિતાલુકત=કૃમિના સમૂહથી ભરેલું.]
અનુવાદ–બાહ્યદષ્ટિ શરીરને સૌદર્યના તરંગ વડે પવિત્ર જુએ છે. તત્વદષ્ટિ તેને કૂતરાં અને કાગડાઓને ભક્ષણ કરવાને યોગ્ય અને કૃમિઓના સમૂહથી ભરેલું જુએ છે. (૫) વિશેષાર્થ યુવાન સ્ત્રીના દેહની વાત કર્યા પછી ગ્રંથકારશ્રી હવે સ્ત્રી અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org