________________
૧૯. તત્ત્વદૃષ્ટિ અષ્ટક
૨ ૫૭
[૧૪૮] વહિ; સુઘાસીરથરિતા મતિ સુન્દરી
તરણેતુ સાક્ષાત્ સા વિમૂત્રપિરોવરી ૨૬ |૪ | [શબ્દાર્થઃ વઢિ =બાહ્ય દૃષ્ટિને; સુપાસીરપટિતા=અમૃતના સારથી ઘડેલી; ભાતિ=ભાસે છે; સુંદરી=સુંદર સ્ત્રી; તત્વ=તત્ત્વદષ્ટિને; તુ=પરંતુ, સાક્ષા=સાક્ષાત્, પ્રત્યક્ષ; સા=0; વિમૂત્ર= વિષ્ટા અને મૂત્રની; fપરોવરી= હાંડલી જેવા પેટવાળી.]
અનુવાદ–બાહ્યદષ્ટિને સુંદર સ્ત્રી અમૃતના સાર વડે ઘડેલી ભાસે છે, પરંતુ તત્ત્વદષ્ટિને તે સાક્ષાત્ વિષ્ટા અને મૂત્રથી ભરેલી હાંડલી જેવા ઉદરવાળી દેખાય છે. (૪) વિશેષાર્થઃ સ્ત્રીના દેહને જોવા માટે અહીં બાહ્યદૃષ્ટિ અને તત્ત્વદૃષ્ટિ એમ બંને દૃષ્ટિથી વિચાર કરવામાં આવ્યો છે. આ વિચારણા મુખ્યત્વે મુનિને ઉદ્દેશીને કરવામાં આવી હોવા છતાં તે સર્વને માટે છે. અહીં મળમૂત્રથી ભરેલા સ્ત્રીના દેહની વાત કરવામાં આવી છે, પરંતુ પુરુષના દેહની વાત કેમ કરવામાં નથી આવતી ? એ પણ મળમૂત્રથી ભરેલો હોય છે. એવો પ્રશ્ન હંમેશાં થતો આવ્યો છે. એનાં કારણોમાંનું એક મહત્ત્વનું કારણ એ છે કે પુરુષની કામવાસના વધુ વેગવાળી અને બળવાન હોય છે. બીજા બાજુ નામકર્મના ઉદયને કારણે રૂપલાવણ્ય મુખ્યત્વે સ્ત્રીને વરેલાં છે. એટલે સુંવાળી ત્વચા, કોમલ સ્પર્શ, મોહક નયનો, આકર્ષક ચહેરો, મધુર કંઠ, માંસલ દેહ ઇત્યાદિને કારણે પુરુષ સ્ત્રી પ્રત્યે મોહ પામે એ સ્વાભાવિક છે. બાહ્યદૃષ્ટિવાળા પુરુષને સ્ત્રી અમૃતના સાર વડે ઘડાયેલી લાગે છે. પ્રત્યેક યુગના કવિઓ સ્ત્રીનાં રૂપલાવણ્યને ઉપમા રૂપક, ઉન્મેક્ષા વગેરે અલંકારો વડે વર્ણવતાં થાકતા નથી. પોતાના મોહક રૂપથી સ્ત્રીએ મહારથીઓને પણ વશ કર્યા હોય, પંડિતોને પાડ્યા હોય, વિદ્વાનોને ચલિત કર્યા હોય, મુનિવરોને લલચાવ્યા હોય, એવી ઘટનાઓ વખતોવખત બનતી જ રહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org