________________
૨ ૫૬
જ્ઞાનસાર
માટે; =જે; હૃષ્ટ જોયેલા; વીડીયા દ=બાહ્ય દૃષ્ટિ વડે; તવૃષ્ટ તત્ત્વદૃષ્ટિ વડે; તવ=તે જ; અન્તસ્નતં=આત્મામાં ઉતારેલા; વૈરાગ્યસંપદે વૈરાગ્યની પ્રાપ્તિ માટે.]
અનુવાદ–બાહ્ય દૃષ્ટિથી જોયેલાં ગામ, ઉદ્યાન વગેરે જે મોહ માટે થાય છે તે જ તત્ત્વદષ્ટિથી આત્મામાં ઉતારેલાં હોય તો વૈરાગ્યની પ્રાપ્તિ માટે થાય છે. (૩)
વિશેષાર્થ સમગ્ર સંસાર બાહ્ય દૃષ્ટિથી જુએ છે અને બાહ્ય દૃષ્ટિથી જીવે છે, પરંતુ કેટલાય મહાત્માઓ સંસારને તત્ત્વદૃષ્ટિથી પણ જુએ છે.
મુનિ મહારાજે દીક્ષા લેતાં પહેલાં પોતાનું ગામ, શેરીઓ, એમાં રહેતા લોકો. કૂવા, વાવ, તલાવડી, વાડી ખેતરો, (વર્તમાન સમયમાં બહુમાળી મકાનો, મોટા સ્ટોર્સ, મોટી મોટી મોટરગાડીઓ, શાળાઓ, હૉસ્પિટલો ઇત્યાદિ, અરે મોટાં શિખરબંધી દેરાસરો અને આલીશાન ઉપાશ્રયો વગેરે) જોયાં હોય છે. દીક્ષા પહેલાં એ બધાં સાથે બહિર્દષ્ટિ જોડાયેલી હતી. એ બધાંને ત્યારે એમના વર્તમાન પર્યાયમાં જોયાં હતાં અને રાજી થઈને બહુ આનંદોલ્લાસ અનુભવ્યો હતો. હવે દીક્ષા પછી જો તત્ત્વદૃષ્ટિ વિકાસ પામે તો એની એ જ વસ્તુઓ પોતાનાં જ્ઞાનચક્ષુથી દ્રવ્ય, ગુણ, પર્યાય સ્વરૂપે દેખાય છે. પંદરવીસ વર્ષ પછી કોઈ એક સ્થળે વિહાર કરવાનું થાય તો કેટલું બધું નવું નવું દેખાય છે ! ગઈ કાલે જે મકાનો સરસ નવાં હતાં તે આજે જૂના જેવાં જોવા મળે છે. તે વખતના નાના છોકરાઓ હવે મૂછવાળા થયા છે અને તે વખતના યુવાનો હવે ધોળા વાળવાળા થયા છે. જગત સતત પરિવર્તનશીલ છે અને જ્ઞાની મુનિ એ બધું તત્ત્વદષ્ટિથી નિહાળે છે. એથી એમને વૈરાગ્યનો બોધ થાય છે. બાહ્ય ચર્મચક્ષુથી અનુરાગસહિત જોયેલા એ બધા પદાર્થોમાં પરિવર્તન થઈ ગયું છે એવું જોઈને તે બધું વૈરાગ્યનું નિમિત્ત થાય છે.
આ વૈરાગ્ય જ સ્વ–પરના ભેદની અનુભૂતિ કરાવે છે અને તત્ત્વદૃષ્ટિને વિકસાવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org