SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯. તત્ત્વદષ્ટિ અષ્ટક ૨ ૫ ૫ વિશેષાર્થ : જગતને જોવાની બાહ્યદષ્ટિ અને તત્ત્વદૃષ્ટિ વચ્ચેનો તફાવત સમજાવવા માટે અહીં વાડીનું રૂપક યોજવામાં આવ્યું છે. વાડી (Farm House)માં આવક માટે જાત જાતનાં વૃક્ષો વાવવામાં આવ્યાં હોય અને કેટલાંક પોતાની મેળે ઊગી નીકળ્યાં હોય. હવાફેર અને આરામ માટે માણસો થોડા દિવસ વાડીમાં રહી આવે છે. કેટલાક માલિકો કાયમ માટે ત્યાં રહેતા હોય છે. એમ મનાય છે કે આરોગ્ય સુધારવું હોય તો અમુક વૃક્ષની નીચે સૂઈ રહેવું. બીજી બાજુ કેટલાંક વૃક્ષોની નીચે સૂવાનો નિષેધ કરવામાં આવ્યો છે. એથી આરોગ્ય બગડે છે. કેટલાંક વૃક્ષો દેખાય સરસ અને એનું ફળ પણ સરસ દેખાય, પણ એ ફળ ખાવામાં આવે તો મૃત્યુ થાય. કિંપાકનું ફળ એ પ્રકારનું ગણાય છે. કેટલાંક વિષવૃક્ષો નીચે રાત્રે સૂઈ રહેવાથી માણસ મૃત્યુ પામે છે અને દિવસે આરામ લે તો માંદો પડે છે. એવી વાડીઓ ભ્રામક, ભૂલથાપ ખવડાવનાર હોય સંસાર પ્રત્યે જોવાની બાહ્ય દૃષ્ટિ એ આવી ભ્રમવાડી એટલે કે ભ્રમણાના બગીચા જેવી છે. બાહ્યદૃષ્ટિ અને તત્ત્વદૃષ્ટિ પરસ્પર વિરુદ્ધ છે. ભ્રમવાડીની બધી વાત જ સારી નથી. એમાં પુગલનાં રૂપરંગ જોઈને લોકો નાચગાન કરે છે. જે હેય છે તેને એ ઉપાદેય તરીકે બતાવે છે અને જે ઉપાદેય છે તેને હેય તરીકે જણાવે છે. તે સંસારના કામભોગોની ભલામણ કરે છે. તે તપશ્ચર્યાનો ઉપહાસ કરે છે. કષાયોને વ્યવહારદક્ષતા તરીકે રજૂ કરે છે. તે અહંકારને અસ્મિતા તરીકે ઓળખાવે છે. પરંતુ તત્ત્વદૃષ્ટિ મહાત્મા એમની ભ્રમજાળમાં ફસાતા નથી. ભ્રમવાડીનાં વૃક્ષોની દુર્ગધ બહુ દૂરથી તેઓ પારખી લે છે. એથી જ તેઓ એમાં આરામ કરવાનું કે સૂવાનું પસંદ કરતા નથી. [૧૪૭] પ્રામામાદિ મોહાય ય ટૂર્ણ વીઢયા દેશL I તત્ત્વચા વાતÍત વૈરાગ્યસંપ | ૨૧ / રૂ II [શબ્દાર્થ પ્રામારીમવિ=પ્રા+ારીમ+વિ=ગામ, ઉદ્યાન વગેરે; મોહાય=મોહને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy