SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૫૪ જ્ઞાનસાર જુદી હોય છે. એ જ ગાયને કોઈ મુનિ મહારાજ જુએ તો વળી એમની દૃષ્ટિ તે બધાંથી જુદી જ હોય છે. તેઓ તેનામાં રહેલા શુદ્ધાત્માને જુએ છે અને કર્મની ગતિને નિહાળે છે. આનંદઘનજી મહારાજે ગાયું છેઃ સયલ સંસારી, ઇન્દ્રિય રામી, મુનિગણ આત્મરામી રે. તત્ત્વ એટલે વસ્તુનું સ્વરૂપ. તત્ત્વદૃષ્ટિ એટલે જે દ્રવ્ય જે સ્વરૂપે હોય તે સ્વરૂપે જોવાની દૃષ્ટિ. એટલે જ જ્ઞાની મહાત્માઓની તત્ત્વદષ્ટિ અરૂપી એટલે કે રૂપરહિત, આકારરહિત હોય છે. તે પદાર્થ કે વ્યક્તિથી પર થઈને એમાં રહેલા તત્ત્વને જુએ છે. આત્મા હોય તો આત્માને જુએ છે અને પોદ્ગલિક પદાર્થ હોય તો તેને તે સ્વરૂપે જુએ છે. તેઓ પોતાના આત્મતત્ત્વમાં જ મગ્ન બને છે અને એમાં જ રમણતા કરવા લાગે છે. અલબત્ત, દીક્ષા લીધી એટલે આવી તત્ત્વદૃષ્ટિ તરત આવી જાય એવું નથી. શાસ્ત્રાભ્યાસ, અનુપ્રેક્ષા, ધ્યાન વગેરે દ્વારા તે ખીલવા લાગે છે. એક વખત આત્મતત્ત્વમાં રસ પડ્યો પછી સમગ્ર જગતનાં ધનવૈભવ વગેરે પૌદ્ગલિક પદાર્થો તુચ્છ લાગવા માંડે છે. [૧૪] શ્રમવાદી વર્જિછિમછીયા તરીક્ષમ્ | अभ्रान्तस्तत्त्वदृष्टिस्तु नास्यां शेते सुखाशया ।। १९ ।। २ ।। [શબ્દાર્થ માટી ભ્રમની અર્થાત્ ભ્રાન્તિની વાડી; વર્જિદિ:=બાહ્ય દૃષ્ટિ; મચ્છીયા=ભ્રાન્તિની છાયા; તીક્ષામ=તેને જોવું (તે બાહ્ય દૃષ્ટિનો પ્રકાશ); પ્રાત:=ભ્રાન્તિરહિત; તવૃષ્ટિ: તત્ત્વની દૃષ્ટિવાળો; તુ=પરંતુ; ન=નથી; મસ્યાં એમાં, ભ્રમની છાયામાં; રાતે સૂઈ જાય; સુરવીયા=સુખના આશયથી, સુખની ઇચ્છાથી.] અનુવાદ–બાહ્યદષ્ટિ ભ્રાન્તિની વાડી છે. તેનું દર્શન તે ભ્રમણાની છાયા છે. પરંતુ ભ્રાન્તિરહિત તત્ત્વદષ્ટિવાળો એમાં (બ્રાનિની છાયામાં) સુખની ઇચ્છાથી સૂતો નથી. (૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy