________________
૧૯. તત્ત્વદૃષ્ટિ અષ્ટક
૨ ૫ ૩
૧૯. તત્ત્વદષ્ટિ અષ્ટક [૧૪૫] રૂપે પવતી દષ્ટિáવા રૂપ વિમુઢાતિ
મwત્યાત્મનિ નીરૂપે તરવેણિરૂપિuી | ૨૨ / ૨ / [શબ્દાર્થ : =રૂપમાં; પવતીકરૂપવાળી; દષ્ટિ; હૃથ્વી=જોઈને; રૂપ રૂપને; વિમુક્ષ્યતિ મોહ પામે છે; મતિ=મગ્ન થાય છે; માત્મનિ=આત્મામાં;. નીરૂપે રૂપરહિત; તવૃષ્ટિ:=તત્ત્વદષ્ટિ; તુ=પણ, તો; મfપળી=અરૂપિણી, રૂપરહિત.]
અનુવાદ-રૂપવાળી દષ્ટિ રૂપને જોઈને મોહ પામે છે. પરંતુ અરૂપી તત્ત્વદષ્ટિ રૂપરહિત આત્મામાં મગ્ન થાય છે. (૧)
વિશેષાર્થ રૂપ એટલે આકાર. એમાં રંગરેખા પણ હોય છે. કેટલાક આકારો જોઈને માણસનું મન પ્રસન્ન થાય છે અને કેટલાક આકારો જોઈને એને અભાવ, ઘણા, અણગમો, તિરસ્કાર થાય છે. ક્યારેક જેની સાથે કશી જ નિસ્બત ન હોય એવું કુદરતી દૃશ્ય, એવી ચીજવસ્તુ કે એવી વ્યક્તિ જોઈને માણસને અકારણ આનંદ થાય છે અને કદરૂપી વ્યક્તિ કે ચીજવસ્તુ જોઈને ક્યારેક ખેદ, અભાવ, દુર્ભાવ, ઉદ્વેગ થાય છે. આ રૂપવતી એટલે બાહ્ય આકારને જોવાવાળી દૃષ્ટિ ધરાવનાર સામાન્ય માણસના અનુભવો લૌકિક હોય છે. સરેરાશ માણસની દષ્ટિ એવી જ હોય છે કારણ કે તે ચર્મચક્ષુથી જુએ છે. એથી ઉપર જતાં એને આવડતું પણ નથી. એમાં મોહ મહત્ત્વનો ભાગ ભજવે છે.
સાંસારિક મોહભરી રૂપવતી દૃષ્ટિમાં પણ એવું નથી કે બધા એકસરખી દૃષ્ટિથી વિચાર કરે. એક ગાય ચાલી જતી હોય તો ગૌભક્તની દૃષ્ટિ, ભરવાડની દૃષ્ટિ, ખેડૂતની દૃષ્ટિ, કસાઈની દૃષ્ટિ, ચમારની દૃષ્ટિ, પાંજરાપોળવાળાની દૃષ્ટિ જુદી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org