________________
૨૫ ૨
જ્ઞાનસાર
જેઓનું, યોનિઃ=યોગીઓ; નિત=ગળી ગઈ છે; સર્ષ=અભિમાન, અધિકતા, ચડિયાતાપણું; આપવર્ષaહીનતા, ન્યૂનતા, અનq=અલ્પ નહિ, ઘણી; ત્પના:=કલ્પનાઓ.. અનુવાદ-અપેક્ષા રહિત, દેશમાન રહિત, કાળની મર્યાદારહિત, જ્ઞાનમાત્ર શરીરવાળા, ઉત્કર્ષ અને અપકર્ષની ઘણી કલ્પનાઓ જેમની ગળી ગઈ હોય છે એવા યોગીઓ હોય છે. (૮)
વિશેષાર્થ : મુનિરાજ આત્મશ્લાઘા રહિત હોવા જોઈએ એ વિશે સમજાવતાં ઉપાધ્યાયજી મહારાજ એવા પરમયોગીનાં લક્ષણ અહીં આપે છે.
આવા યોગી મહાત્માઓ પોતાના ઉત્કર્ષની કલ્પનાથી એટલે કે એવા વિચાર અને ભાવથી રહિત હોય છે. પોતે જે કંઈ સિદ્ધિઓ મેળવી છે તે તેઓએ પોતાના અંતરમાં ગોપવી દીધી છે. પોતે તો પોતાની વાત કરતા નથી પણ કોઈ એવી પ્રશંસાની વાત કરે તો પણ તેઓ ઉદાસીન રહે છે. વસ્તુતઃ સમગ્ર સંસારમાંથી તેમને કશું જ જોઈતું નથી. તેઓને કશાની અપેક્ષા નથી.
સ્વગુણના ઉત્કર્ષના અભાવ ઉપરાંત પરના અપકર્ષમાં પણ તેમને રસ નથી. પોતાની અધિકતા અને બીજાની ન્યૂનતા બતાવવામાં એમને યત્કિંચિત રસ નથી. તેઓ તો સમગ્ર વિશ્વને જ્ઞાતા-દૃષ્ટા ભાવથી નિહાળે છે. તેઓ જ્ઞાનની અને ચારિત્રની આદર્શ મૂર્તિસમાં હોય છે. તેઓ અનાવચ્છિન્ન એટલે કે દેશરૂપ મર્યાદા રહિત અને અનન્ત એટલે કે કાળની મર્યાદા રહિત જ્ઞાનમાત્ર સ્વભાવવાળા હોય છે. તેઓએ પોતાની ઇચ્છાઓ, અપેક્ષાઓ નિર્મૂળ કરી હોય છે કે કાયમને માટે શાન્ત કરી દીધી હોય છે.
આવા યોગી મહાત્માઓ જ્ઞાનની પરિણતિવાળા હોય છે અને પોતાના જ્ઞાન સ્વરૂપમાં જ મગ્ન હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org