SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫. વિવેકાષ્ટક ૨૧૧ આપ્યો છે. સંસારમાં આમ જે બોલાય છે તે વ્યવહારથી બોલાય છે. એ એક જાતનો ઉપચાર છે, પ્રથા છે, રિવાજ છે. ઉપચારને ઉપચારની રીતે સમજવો જોઇએ. અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે યુદ્ધનું. યુદ્ધમાં લડવા માટે સૈનિકો જાય છે. રાજા તો પોતાના રાજમહેલમાં બેઠો છે. સૈનિકોને હુકમ સેનાપતિ આપે છે. સેનાપતિ દીવાન દ્વારા રાજાને ખબર આપતો રહે છે. હવે યુદ્ધમાં સૈનિકોએ વિજય મેળવ્યો હોય તો રાજાએ જીત મેળવી એમ કહેવાય છે. સૈનિકો હારી ગયા હોય તો રાજા હારી ગયા એમ કહેવાય છે. વસ્તુતઃ રાજા તો યુદ્ધભૂમિ ઉપર ગયા નથી, પણ એ જાતનો વ્યવહાર થાય છે. એને ઉપચાર કહેવામાં આવે છે. આવી જ રીતે આત્મા ક્રોધ કરતો નથી કે આત્મા હત્યા કરતો નથી, આત્માનો જન્મદિવસ ઉજવાતો નથી કે આત્માને ઇનામ લાગતું નથી. તો પણ ઉપચારથી એમ કહેવાય છે. જડ એવાં શુભાશુભ કર્મોનો કર્તા આત્મા નથી. આત્મા કર્તા નથી અને ભોકતા પણ નથી એમ શુદ્ધ નિશ્ચયનય કહે છે. એ નય પ્રમાણે આત્મા કર્મનો કર્તા છે એમ કહેવામાં અવિવેકદૃષ્ટિ રહેલી છે. શુદ્ધ આત્મામાં એનો જે આરોપ કરાય છે એ માત્ર ઉપચાર છે. સમગ્ર સંસાર ગાઢ મિથ્યાત્વથી ભરેલો છે. એટલે સંસાર તો ઉપચાર અથવા વ્યવહારનો જ આશ્રય લેવાનો. જગતમાં હંમેશાં એમ જ કહેવાતું રહેવાનું કે ફલાણાએ ઘર લીધું, પેલાએ દીકરીની સગાઈ કરી. પેલાએ દેવાળું કાઢ્યું કે ફલાણા ભાઈ ગાંડા થઈ ગયા. આ બધો ઉપચાર છે. એમાં વ્યવહાર નય છે. વિવેકી તત્ત્વજ્ઞ મુનિએ વ્યવહાર ન છોડીને નિશ્ચયનય સ્વીકારવો જોઈએ. [૧૧૭] રૂછપ હિ સ્વપ પતો યક્ષો ! માત્માડમેશ્રમતત્વ હોવાવવિનિઃ II ૨૫ / ૫ . [શબ્દાર્થ દુષ્ટ ઇટ; વિ=વગેરે; પિ=પણ; =વળી; ખરેખર; સ્વf=સોનું, તોન્મત્ત: =પીવાથી (ધતૂરો વગેરે) ઉન્મત્ત, ઉન્માદવાળો; યથા=જેમ ફેંક્ષતે જુએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy